________________
સકળ સંઘને આદેશ આપે છે. તેઓ કહે છે કે, “હવે ભારતભરના સંઘને આવી છૂટ મળી જશે.” અરે ભાઈ ! આવી છૂટ તે ૭૬, ૯૦ અને ૨૦૧૪ના સંમેલને પણ આપી જ છે. અમે આ વખતે તે બાબતમાં કઈ વધુ છૂટ આપી જ નથી. આપવી પણ નથી. આથી જ અમારી ઉપદેશધારા યથાવત્ સુંદર જ રહેવાની છે ભવિષ્યમાં પણ અમે તે શક્તિમાન સંઘમાં સાધારણની ટપ કે બાર માસના કેસરાદિના લાભની ઉછામણીઓ બેલાવશું જ અને તે રીતે સ્વાદિની આવકને (કલિપત દેવદ્રવ્યને) ઉપર પૂજારીને પગાદિમાં નહિ કરવા દઈ એ. પરંતુ અશક્તિમાન સંઘનું શું? ત્યાં જે આ રસ્તે બતાડાય નહિ તે તેઓ દેવદ્રવ્ય માંથી હવાલે પાડશે અને અને માંડવાળ કરશે. તેમના મનના પરિણામ નિષ્ફર બનશે. આના કરતાં તેમને શાસ્ત્રીય માર્ગ શા માટે ન જણાવે? વર્તમાનમાં સાધારણની આવકના પ્રયત્ન પણ દસ ટકા સંઘેથી વધુ સંઘમાં સફળ થયા નથી. એટલે ૯૦ ટકા જેટલા સંઘે તે હવાલા વગેરે પાડવાના છેટા રસ્તે જઈ જ રહ્યા છે. તેમની પરિણતિ આદિને ઉગારવા માટે આ જ રસ્તે છે. - સંમેલને જિનમંદિરના સંબંધમાં આવતા જિનભક્તિના સર્વ કાર્યોમાં કપિત–દેવદ્રવ્યની રકમને ઉપગ કરવાનું જણાવેલ છે. અર્થાત “જિનભક્તિ-સાધારણ” ખાતે-જેને બીજા નામે દેવકુ સાધારણ” કહેવાય છે તે ખાતે-ઉપગમાં લેવાનું જણાવેલ છે, નહિ કે પૂર્વોક્ત શુદ્ધ સાધારણ કે સર્વ સાધારણ
ખાતે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org