________________
૨૬
ધરાવતા હાય તેમણે સ્વદ્રવ્યથી જ પૂજાદ્ધિ કરવાનો લાભ લેવા જોઈએ. અને તેવી ભાવના પણુ રાખવી જ જોઈએ. તેમણે તે પેાતાના ધંધાકીય ક્ષેત્રના માણસોને પગાર આપે છે તેમ પૂજારીઓને પણ તે રીતે-સ્વદ્રવ્યથી જ પગાર આપવા જોઇએ; અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાની તમામ સામગ્રી વસાવવી જોઈએ. આ વાત ઠરાવની શરૂઆતમાં ટૂંકા શબ્દોમાં પણ મૂકવામાં આવી છે, તે તરફ બધાએ પેાતાનું ધ્યાન બરોબર લગાડયા બાદ ઠરાવને પછીના ભાગ વાંચવા જોઇએ.
સંમેલનના શ્રમણે એ એ વાત જરૂર ફરમાવી છે કે જો સ્વદ્રવ્યે સર્વપ્રકારની જિનભક્તિ કરી શકે તેવા શક્તિસંપન્ન શ્રાવકે તેવી ભાવના ધરાવે નહિ – કૃપણુતા દાખવે – તે ? તે તેવા સ્થાને પણ કલ્પિત દેવદ્રવ્યમાંથી જ પૂજારીના પગાર આદિ આપવા તે ઉચિત છે, પણ પૂજા સદંતર બંધ રાખવી ન જોઇએ.
આ રીતે સંમેલનના શ્રમણાએ શુદ્ધ-દેવદ્રવ્ય પૂજા તથા નિર્માલ્ય દેવદ્રવ્ય ના દુરુપયેગને અટકાવવાને આદેશ આપેલ છે. દુઃખ તે એ વાતનું થાય છે કે આ વાત આટલી સ્પષ્ટ હાવા છતાં સંમેલનના કેટલાક ઠરાવાના વિરાધ વ્યાપક અને ઉગ્ર બનાવવા માટે સજ્જ બનેલા કેટલાકાએ શ્રાવક સંઘને એમ કહીને ભડકાવવાની કેશિશ કરી છે કે સંમેલને દેવદ્રવ્યની રકમને સાધારણ ખાતે [સાધારણ ખાતે એટલે સાત ક્ષેત્રના સાધારણ ખાતે કે આગળ વધીને આખિલખાતું, પાઠશાળા વગેરે સહિતનાં સર્વ સાધારણ ખાતે] લઇ જવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org