________________
૨૫
નિર્વાહ માટે કલ્પીને ધન આપવાનું બંધ કર્યું. બારમી સદીની પછીના દૂરના કાળમાં કેસર પૂજાદિના, સ્વપ્નના અને ઉપધાનની માળ વગેરેની બેલી, ચડાવાની તત્કાલીન જરૂરીઆત પ્રમાણે શરૂઆત થઈ. આ દ્વારા જે રકમ પ્રાપ્ત થાય તેનાથી જિનમંદિર સંબંધિત બધાં કાર્યોને નિર્વાહ કરવાની તેમની કલ્પના હતી.
આમ પૂર્વે નિર્વાહ કરવા માટે જે રીઝર્વ-ફંડ મુકાતું હતું જેને જરૂર પડે ત્યારે જ ઉપયોગ થત] તે જ જગાએ નિર્વાડ કરવા માટે ઈન્દ્રમાળ, સ્વપ્નાદિની બોલીચડાવાથી પ્રાપ્ત થયેલું ધન ગઠવાયું - આમ બલી ચડાવાના ધન પાછળ પણ પેલા રીઝર્વ ફંડની જેમ મંદિરના કાર્યોના નિર્વાહની જ ભાવના હતી એટલે જેમ તે રીઝર્વ–પંડ કલિપત દેવદ્રવ્યરૂપે ગ્રન્થમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું છે તેમ બેલી-ચડાવાના આ ધનને પણ તે જ સ્થાને ગોઠવાયું હોવાથી – ઉપલક્ષણથી સ્વીકારવાની વાત કોઈ પણ ગીતાર્થને એકદમ માન્ય હોય છે. આમાં વિવાદને કઈ સ્થાન નથી.
સંમેલનના શ્રમણોએ આ રીતે સ્વપ્ન, ઉપધાનાદિના બેલી-ચડાવાથી પ્રાપ્ત થતાં દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણાવીને તેના દ્વારા પૂજારી, ચોકીદાર વગેરેને પગાર આપવાનું તથા જરૂર પડે તે કેસરાદિ પણ લાવવાનું જે જણાવેલ છે તે પણ એવા જ સંગમાં જણાવેલ છે કે જ્યાં જૈનસંઘ કે જૈન-શ્રાવક (શ્રાવિકા) સ્વદ્રવ્યથી જ આ બધાં કાર્યો કરવાને શક્તિમાન ન હોય. જેઓ આવી શક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org