SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ જૈન ઈતિહાસ ત્યાંથી બૌદ્ધોના નગરમાં આવ્યા; અને ત્યાં તેમણે તેમના પ્રમાણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં તેમની દયાળુ વૃત્તિ જોઈને એક દહાડો બૌદ્ધાચાર્યને શંકા થઈ કે ખરેખર આ બંને જૈનીઓ છે, એમ વિચારી તેણે તેમની પરીક્ષા માટે ઉપાશ્રયની સીડી પર એક જિનપ્રતિમાનું ચિત્ર કરાવ્યું. તેમ કરવાની તે બૌદ્ધાચાર્યની એવી ગણતરી હતી કે, જો તેઓ જૈની હશે તો તે પર પગ મૂકીને ચાલશે નહીં. પછી જ્યારે તેઓ બંને સીડી પર ચડવા ગયા, ત્યારે તેમની દષ્ટિએ તે પ્રતિમાનું ચિત્ર પડ્યું. તે જોઈ તેમણે વિચાર્યું કે, આપણા મહાન ગુરુ હરિભદ્રજીએ પહેલેથી સૂચવેલી આપદા આજે આપણા પર ખરેખર આવી પડી છે, માટે હવે કદાચ અહીં જ આપણું મૃત્યુ થાય તો પણ તેથી ડરવું નહીં; એમ વિચારી તેઓએ તે જિનપ્રતિમાના ચિત્ર પર ખડીથી ત્રણ લીટીઓની જનોઈ કરીને તેને બૌદ્ધપ્રતિમા બનાવી; અને તે પર પગ મૂકીને ઉપર ચડી ગયા, તે વાત ગુપ્ત રહેલા માણસોએ બૌદ્ધાચાર્યોને જણાવવાથી તુરંત તે હંસ એન પરમહંસ એમ બંનેનો પોતાનો સુભટો મારફતે વધ કરાવ્યો. અનુક્રમે તે વાતની હરિભદ્રસૂરિજીને ખબર પડવાથી તે બૌદ્ધો પર ક્રોધ લાવીને, એક ઉષ્ણ કડાઈ તૈયાર કરાવી; અને તેમાં તે બૌદ્ધાચાર્યને તેના ચૌદસો ચુમ્માળીશ શિષ્યો સહિત હોમવા માટે તેમણે પોતાની મંત્રશક્તિથી આકર્ષાને આકાશમાં સ્થિર કર્યા; એટલામાં તે વાતની તેમના ગુરુજીને ખબર પડવાથી તેમણે હરિભદ્રજીને શાંત કરવા માટે ત્યાં આવી ઉપદેશ કર્યો અને તેથી હરિભદ્રજીએ તે સર્વે બૌદ્ધોને મુક્ત કર્યા. પછી તે બૌદ્ધો પણ તેમની ક્ષમા માગી પોતાને સ્થાનકે ગયા. હરિભદ્રસૂરિએ પણ તે પાપની શુદ્ધિ માટે અનેકાંતજયપતાકા, શિષ્યહિતા નામની આવશ્યક ટીકા, ઉપદેશપદ, લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનવૃત્તિ, જંબૂદ્વીપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy