________________
૬૮
જૈન ઈતિહાસ એવી રીતે તેણીનો ચતુરાઈવાળો અર્થ સાંભળી હરિભદ્રે વિચાર્યું કે, ખરેખર આ મહાચતુર સાધ્વીએ મને વચન વિવાદમાં પણ જીત્યો છે; તેમ આ ગાથાનો હું અર્થ પણ સમજી શકતો નથી. એમ વિચારી તેણે તે યાકિની સાધ્વીને તે ગાથાનો અર્થ પોતાને સમજાવવા માટે કહ્યું, ત્યારે તે ચતુર સાધ્વીએ કહ્યું કે, હે પંડિત, જૈનના આગમોનો અર્થ અમારા ગુરુની અનુમતિ સિવાય અમારાથી તમોને સમજાવી શકાય નહીં; અને તેનો અર્થ તમારે જાણવાની જો ઇચ્છા હોય તો તમે આ નજદીક રહેલા ઉપાશ્રયમાં જાઓ, ત્યાં અમારા ગુરુ છે, તે તમોને તેનો અર્થ સમજાવશે. તે સાંભળી હરિભદ્રજી તો તુરત નજદીક ઉપાશ્રયમાં રહેલા જિનભદ્ર નામના આચાર્યજી પાસે ગયા. અને તેમને તે ગાથાનો અર્થ સમજાવવા માટે વિનંતી કરી. ત્યારે જિનભદ્રસુરિજીએ તેમને કહ્યું કે, તમે જો જૈન દીક્ષા ગ્રહણ કરો, તો જ અમારાથી તમને તેનો અર્થ સમજાવી શકાય. તે સાંભળી હરિભદ્રજીએ તુરંત સઘળા સંઘની સમક્ષ સર્વ પરિગ્રહનો ત્યાગ કરી ભાવપૂર્વક તેમની પાસે દીક્ષા લીધી. પછી ગુરુએ પણ તેમને તે ગાથાનો અર્થ સમજાવી અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં પારંગામી કર્યા. એક દિવસે તેમણે પોતાના ભાણેજો હંસ અને પરમહંસને ગુરુની આજ્ઞાથી દીક્ષા આપી શિષ્યો કર્યા અને તેમને પણ તેમણે પ્રમાણ શાસ્ત્રાદિમાં પારંગામી કર્યા. એક દહાડો તે હંસ અને પરમહંસે હરિભદ્ર મહારાજને વિનંતિ કરી કે, અમોને બૌદ્ધોનાં પ્રમાણ શાસ્ત્રો ભણવાની ઇચ્છા છે, માટે જો આપ આજ્ઞા આપો તો અમે તેમના નગરમાં જઈને તેમની પાસે અભ્યાસ કરીએ; તે સાંભળી હરિભદ્રસૂરિએ નિમિત્ત શાસ્ત્ર જોઈ તેઓને કહ્યું કે, તમારા ત્યાં જવાથી પરિણામ બહુ વિપરીત આવવાનો સંભવ લાગે છે. તે સાંભળી શિષ્યોએ વિનયથી કહ્યું કે, આપના ફક્ત નામના મંત્રથી ત્યાં અમોને કંઈ પણ આપદા થશે નહીં; પછી તે હંસ અને પરમહંસ બંને વેષ બદલીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org