________________
અર્વાચીન સમયનો ઇતિહાસ
પ્રકરણ - ૮
વિક્રમ સંવત ૧૮૫ થી ૫૨
હરિભદ્રસૂરિ તથા સિદ્ધસૂરિ
હરિભદ્રસૂરિ (વિક્રમ સંવત ૧૮૫) ચિત્રકૂટ પર્વતની પાસે આવેલા ચિત્તોડગઢમાં જયારે જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં તેમનો એક હરિભદ્ર નામે મહાવિદ્વાન પુરોહિત બ્રાહ્મણ વસતો હતો; તેને પોતાની વિદ્યાનો એટલો તો ગર્વ હતો કે, તેણે એવો નિયમ લીધો હતો કે, કોઈનું ભણેલું જો હું ન સમજી શકે તો તેનો હું શિષ્ય થઈ જાઉં. એક વખત જ્યારે તે જૈનોના એક ઉપાશ્રય પાસેથી જતો હતો, ત્યારે તે ઉપાશ્રયમાં એક યાકિની નામે સાધ્વી એક ગાથાનો પાઠ કરતી હતી, તે ગાથા નીચે મુજબ હતી : - गाथा : चक्की दुगं हरिपणगं । पणगं चक्कीण केसवो चक्की ॥
केसव चक्की केसव । चक्की केसव चक्कीय ॥१॥ તે ગાથા સાંભળી હરિભદ્ર આશ્ચર્ય પામી તેણીને કહ્યું કે, હે માતાજી, તમોએ આ ગાથામાં બહુ વાક્ય કર્યું છે. ત્યારે તેણીએ પણ યોગ્ય ઉત્તર આપ્યો કે, હે પુત્ર ! તે યાત્રિ છે; કે ચાકચક્ય એટલે ભીનું કચકચતું. + ગોમર્યાદલિપ્ત એટલે છાણથી લીધેલું પક્ષે - વચનોની ચાતુરીવાળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org