SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ જૈન ઈતિહાસ તેમને હરાવ્યા; તેથી ફરીને શિલાદિત્ય રાજા જૈનધર્મી થયો, તથા શત્રુંજયનું તીર્થ પણ ફરીને પાછું જૈનોને સ્વાધીન થયું. પછી શિલાદિત્ય રાજાના આગ્રહથી ધનેશ્વર સૂરિજીએ શત્રુંજય માહાભ્યનો ગ્રંથ રચ્યો. વલ્લભી નગરીનો ભંગ (વિક્રમ સંવત ૨૦૫). કેટલોક સમય વીત્યા બાદ તે વલ્લભી નગરમાં એક રંક નામે વ્યાપારી થયો; તેની દુકાને કોઈક કાપડી જોગી સિદ્ધરસનું એક તુંબડું વિસરી ગયો; તે સિદ્ધરસના સ્પર્શથી લોઢું સુવર્ણમય થઈ જવાથી તે વણિકે પોતાનું મકાન અત્યંત સુંદર બનાવ્યું. તે રંક વ્યાપારીની એક પુત્રીને રાજાની પુત્રી સાથે મિત્રાઈ હતી. એક વખતે તે રંક વ્યાપારીની પુત્રી પાસે રહેલી રત્નજડિત કાંસકી તે રાજપુત્રીએ માગી, પરંતુ તે રંક વ્યાપારીએ આપી નહીં, તેથી રાજાએ તે કાંસકી તેની પાસેથી બળાત્કારે ખુંચવી લીધી. આથી ક્રોધાયમાન થયેલા તે રંક વ્યાપારીએ મ્લેચ્છોનું સૈન્ય બોલાવીને તે વલ્લભીપુર નગરનો નાશ કરાવ્યો; તેમાં તે શિલાદિત્ય રાજાનું મૃત્યુ થયું. - વિક્રમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ દેવાનંદસૂરિની પાટે વિક્રમસૂરિ થયા, તથા તેમની પાટે નરસિંહસૂરિ થયા, અને તેમની પાટે સમુદ્રસૂરિ થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy