________________
જેને ઈતિહાસ આચાર્યજીએ ભક્તામર નામનું ચુમ્માનીશ કાવ્યોવાળું સ્તોત્ર રચીને પોતાની ચુમ્માલીશ બેડીઓ તેના પ્રભાવથી તોડીને રાજાને વિસ્મિત કર્યો, અને છેવટે રાજાને ધર્મોપદેશ આપીને જૈનધર્મી ર્યો. વળી તેમણે ઉપદ્રવોને હરનારું ભયહર સ્તોત્ર રચેલું છે. આ પ્રભાવિક આચાર્યજીએ માળવાના મોટા ભોજરાજાને પ્રતિબોધ્યા હતા.
શ્રી વીરસૂરિ, વિક્રમ સંવત ૩૦૦ શ્રી માનતુંગસૂરિની પાટે શ્રી વીરસૂરિ થયા, તેમણે નાગપુરમાં વિક્રમ સંવત ત્રણસોમાં શ્રી નમિનાથજીના બિંબની સ્થાપના કરી છે.
શ્રી જયદેવસૂરિ, દેવાનંદસૂરિ શ્રી વીરસૂરિજીની પાટે શ્રી જયદેવસૂરિ થયા, તથા તેમની પાટે શ્રી દેવાનંદસૂરિ થયા.
શ્રી મલ્લીવાદી આચાર્ય, શિલાદિત્ય રાજા, તથા બદ્ધોનો થયેલો પરાજય, વલ્લભીપુરનો ભંગ
(વિક્રમ સંવત ૩૧૪ થી ૩૦૫) ભૃગુકચ્છ નામના નગરમાં શ્રી જિનાનંદ નામે એક શ્વેતાંબરી આચાર્ય વસતા હતા, ત્યાં આનંદ નામના એક બૌદ્ધ વાદીએ તેમને વિતંડાવાદથી જીતવાથી તે વલ્લભીપુરમાં આવીને રહ્યા. ત્યાં દુર્લભદેવી નામની એક તેમની બહેન રહેતી હતી. તેણીને જિતયશા, યક્ષ અને મલ્લ નામે ત્રણ પુત્રો હતા. દુર્લભદેવીએ વૈરાગ્ય થવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org