________________
જૈન ઈતિહાસ તેમના કમંડલુમાં કેટલાક સંમૂર્ણિમ જંતુઓને જોઈ તેની બહેને ઉપદેશ આપ્યો કે, શ્વેતાંબર મુનિઓનો આચાર અતિ ઉત્તમ છે; અને તે આચારથી જ મોક્ષ મળે છે. હવે તે વાત મહાકીર્તિજીને પણ ધ્યાનમાં ઊતરી, અને તેથી કેટલેક કાળે ત્યાં પધારેલા અજિતસિંહસૂરિજીની પાસે તેમણે ફરીને શ્વેતાંબરી જૈન દીક્ષા લીધી, તથા તેમનું માનતુંગસૂરિ નામ રાખવામાં આવ્યું. પછી તેમણે ગુરુમુખથી કેટલીક ચમત્કારી વિદ્યાઓનો અભ્યાસ કર્યો. વળી તે જ નગરમાં એક મહાવિદ્વાન અને રાજાનો માનીતો મયૂર નામે બ્રાહ્મણ વસતો હતો, તેને વિદ્યા, રૂપ તથા શીલ આદિ અનેક ગુણોવાળી એક પુત્રી હતી; તે પુત્રીને તેણે ત્યાંના જ રહેવાસી એક બાણ નામના મહાવિદ્વાનની સાથે પરણાવી. એક દહાડો તેણીને પોતાના ભર્તાર સાથે કલેશ થવાથી તે રીસાઈ ગઈ; અને તે માટે તેણીને તેણીના પિતા મયૂરે ઠપકો આપ્યો, તેથી તેણીએ શ્રાપ આપીને પોતાના પિતાને કુષ્ટી કર્યો. હવે બાણને પણ ઈર્ષા આવવાથી તેણે રાજાને કહ્યું કે, મયૂરને તો કુટનો રોગ થયો છે, તેથી તેને સભામાં આવતો બંધ કરવો. રાજાએ પણ તેમ કર્યાથી મયૂરે ખેદ પામીને સૂર્યનું સ્તુતિપૂર્વક આરાધન કર્યું, તેથી સૂર્યે તેના રોગને નષ્ટ કર્યો; તે જોઈ રાજાને આશ્ચર્ય થયું, અને તેથી તેણે બાણને કહ્યું કે તું પણ જો ખરો વિદ્વાન હો તો મને કંઈક તેવું આશ્ચર્ય બતાવ. પછી તેણે પણ પોતાના હાથપગ છેદાવીને ચંડીનું સ્તુતિપૂર્વક આરાધના કરી તે હાથપગ પાછા મેળવ્યા. તે જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે, આજના સમયમાં બ્રાહ્મણો સિવાય કોઈ પણ પાસે આવી ચમત્કારી વિદ્યા નથી. તે સાંભળી જૈન મંત્રીએ રાજાને કહ્યું કે, હે સ્વામી! આપણા નગરમાં, જે માનતુંગસૂરિ નામના જૈન શ્વેતાંબર આચાર્ય છે, તે પણ મહાપ્રભાવિક છે. પછી રાજાએ શ્રી માનતુંગસૂરિજીને બોલાવીને પોતાને કંઈક ચમત્કાર બતાવવા માટે વિનંતી કરી; અને તેથી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org