________________
- ૫૯
જૈન ઈતિહાસ તારા જેવા શાસનનું છિદ્ર જોવાવાળા જ્યાં શ્રાવકો વસે છે, ત્યાં ઉપદ્રવ થાય તેમાં શી નવાઈ છે? વળી તારા જેવા જ ત્યાં શ્રાવકો હશે, માટે હું આવા મહાન્ પ્રભાવિક આચાર્યજીને ત્યાં મોકલી શકતી નથી. તે સાંભળી આચાર્યજીએ દેવીઓને કહ્યું કે, સંઘની આજ્ઞા આપણે મસ્તકે ચડાવવી જ જોઈએ; માટે આપણે અહીં રહીને પણ તેઓનો ઉપદ્રવ દૂર કરવો; એમ વિચારી તેમણે લઘુ શાંતિસ્તવ રચીને તે વીરદત્તને આપ્યું અને કહ્યું કે, આ સ્તવનનો પાઠ ભણવાથી સર્વ ઉપદ્રવ નષ્ટ થશે. પછી તે વીરદત્તે તક્ષશિલામાં જઈને સર્વ વૃત્તાંત સંઘને નિવેદન કરી તે સ્તોત્ર તેમને સ્વાધીન કર્યું, અને તે સ્તોત્રના પાઠથી સંઘનો સર્વ ઉપદ્રવ નષ્ટ થયો. છેવટે તે ઉપદ્રવ નષ્ટ થયા બાદ સંઘના લોકો તે નગર છોડીને જુદે જુદે સ્થાનકે ગયા; અને ત્રણ વર્ષ વીત્યા બાદ તે નગરીનો તુરુષ્ક લોકોએ નાશ કર્યો. તે નગરીના ભોંયરાઓમાં હજુ પણ પિત્તળ આદિની જિનમૂર્તિઓ છે, એમ વૃદ્ધવાદ ચાલ્યો આવે છે. એવી રીતે શ્રીમાનદેવસૂરિજીએ રચેલું શાંતિસ્તવ હજુ પણ ક્ષુદ્ર ઉપદ્રવોને નાશ કરનારું પ્રસિદ્ધ છે.
માનતુંગસૂરિ શ્રીમાનદેવસૂરિજીની પાટ પર માનતુંગસૂરિ થયા; તેમનું વૃત્તાંત એવું છે કે, વારાણસી નગરીમાં હર્ષદવ નામે રાજા હતો; ત્યાં એક ધનદેવ નામે બ્રહ્મક્ષત્રિય જાતિનો એક શેઠ રહેતો હતો; તેને માનતુંગ નામે એક મહાબુદ્ધિવાન પુત્ર હતો. તેણે એક દહાડો ત્યાંના દિગંબર સાધુ પાસે ધર્મ દેશના સાંભળીને વૈરાગ્યથી દિગંબરી દીક્ષા લીધી; અને તેમનું મહાકીર્તિ નામ રાખવામાં આવ્યું; એક દહાડો તેમને શ્વેતાંબર મતને માનનારી તેમની બહેને ભક્તિથી ગોચરી માટે નિમંત્રણ કર્યું, અને તેથી તે મહાકીર્તિ તેમને ઘેર ગયા; તે વખતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org