SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન ઈતિહાસ તમને એક ઇલાજ બતાવું છું, તે એ છે કે, નાડોલ નામના શહેરમાં હાલ મહાપ્રભાવિક શ્રીમાનદેવસૂરિ બિરાજે છે, તેમને અત્રે . બોલાવીને તેઓના ચરણોદકથી તમારાં ઘરો ધોઈને સાફ કરજો, જેથી તમોને ઉપદ્રવ થશે નહીં; વળી તે ઉપદ્રવ જેવો શાંત થાય છે, તમે સઘળા કોઈ બીજા દેશાવરમાં જઈ રહેજો; એટલું કહી શાસનદેવી અંતર્ધાન થયા. હવે તે સંઘે તુરત એક વરદત્ત નામના શ્રાવકને વિનંતીપત્ર આપી આચાર્યજી પાસે મોકલ્યો; તે વીરદત્ત તુરંત નાડોલમાં આવી આચાર્યજી પાસે ગયો, તે વખતે જયા અને વિજયા દેવીઓ પણ સ્ત્રીઓનું રૂપ કરીને ત્યાં આચાર્યજી પાસે એકાંતમાં બેઠેલી હતી. તે જોઈ મુગ્ધ વીરદત્તે વિચાર્યું કે, “અરે ! આ તો શાસનદેવીએ આપણને ઠગ્યા છે; કેમ કે આવા સ્ત્રીલોલુપી આચાર્ય તો ફક્ત મને આવતો જાણીને ફોકટ ધ્યાનનો ડોળ ધારણ કરેલો લાગે છે. પછી જ્યારે આચાર્યજીનું ધ્યાન સંપૂર્ણ થયું, ત્યારે તે વરદત્ત તેમની પાસે ગયો, તથા અવજ્ઞાપૂર્વક તેણે આચાર્યજીને નમસ્કાર કર્યા; તેની તે ચેષ્ટાથી ક્રોધાતુર થયેલી દેવીઓએ તેને અદશ્ય બંધનોથી બાંધી તાડના કરવા માંડી, પણ આચાર્યજીએ દયાથી તેને છોડાવ્યો, ત્યારે જયાદેવીએ તે શ્રાવકને કહ્યું કે, અરે અધમ શ્રાવક ! દેહધારી ચારિત્ર સરખા આ શ્રીમાનદેવસૂરિના મહાભ્યને તું જાણતો નથી? આ સમયે જો આ આચાર્ય મહારાજે તારી દયા ન કરી હોત, તો તને તો અમોએ ક્યારનોયે યમને કાર પહોંચાડ્યો હોત. અરે ચંડાળ ! હવે તું બોલ ? કે અહીં શા માટે આવેલો છે? તે સાંભળી થરથરતા વીરદત્તે હાથ જોડીને કહ્યું કે, તે માતાઓ ! આપ મને ક્ષમા કરો. મને અહીં તક્ષશિલાના સંઘે મોકલાવ્યો છે, કેમ કે ત્યાં હાલ મરકીનો મોટો ઉપદ્રવ ચાલે છે; તે શાંત કરાવવા માટે સંઘની આજ્ઞાથી હું આચાર્યજી મહારાજને તેડી જવા માટે આવ્યો છું. તે સાંભળી વિજયા દેવીએ કહ્યું કે, અરે દુખ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy