SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ બિલકુલ વસ્ત્ર રાખવાં ન જોઈએ, એવી રીતે ગુરુ સાથે કલેશ કરીને તે ત્યાંથી ચાલતો થયો. તે સમયે તેની બહેન ઉત્તરા પણ તેની સાથે ગઈ; સહસ્રમલે નગ્ન રહેવાનો વિચાર કર્યો અને તે સાથે તેની બહેને પણ નગ્ન રહેવાની ઈચ્છા વ્યક્ત કરી; પરંતુ સહસ્રમલ્લે વિચાર્યું કે સ્ત્રી જાતિ જો નગ્ન રહેશે, તો તેથી ઘણો ગેરફાયદો થશે; એમ વિચારી તેણે પોતાની બહેનને કહ્યું કે, સ્ત્રી જાતિને કંઈ મોક્ષ મળતો નથી; પછી તેણે પોતાના દિગંબરમતનો ફેલાવો કરવા માંડ્યો એવી રીતે દિગંબરમતની ઉત્પત્તિ મહાવીરપ્રભુ પછી ૬૦૯ વર્ષે એટલે વિક્રમ સંવત ૧૩૯ માં થયેલી છે. શ્રી ચંદ્રસૂરિ ચંદ્રગચ્છની સ્થાપના શ્રી વજસેનસૂરિને પાટે શ્રી ચંદ્રસૂરિ થયા; તેમના સમયમાં કોટિ ગચ્છનું ચંદ્રગચ્છ નામ પડ્યું. સામંતભદ્રસૂરિ, વનવાસી ગચ્છની સ્થાપના શ્રી ચંદ્રસૂરિની પાટે સામંતભદ્રસૂરિ થયા; તે આચાર્ય પરમ વૈરાગ્યવાળા હોવાથી વનમાં વસતા, તેથી ગચ્છનું ફરીને વનવાસી ગચ્છ નામ પડ્યું. શ્રી વૃદ્ધદેવસૂરિ, પ્રધોતનસૂરિ સામંતભદ્ર આચાર્યજીની પાટે શ્રીવૃદ્ધદેવસૂરિ થયા, તથા તેમની પાટે પ્રદ્યોતનસૂરિ થયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy