________________
પ્રકરણ
વિક્રમ સંવત ૧૩૧ થી ૫૧૦
(દિગંબરોની ઉત્પત્તિ, શ્રી ચંદ્રસૂરિ, સામંતભદ્રસૂરિ, શ્રી વૃદ્ધદેવસૂરિ, શ્રી પ્રધોતનસૂરિ, શ્રી માનદેવસૂરિ, માનતુંગસૂરિ, શ્રી વીરસૂરિ, શ્રી જયદેવસૂરિ, શ્રી દેવાનંદસૂરિ, મલ્લવાદીઆચાર્ય, બૌદ્ધોનો પરાજય, શિલાદિત્ય રાજા, વલ્લભીપુરનો ભંગ, શત્રુંજય માહાત્મ્યની રચના, વિક્રમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ, માનદેવસૂરિ, દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ, જૈન સિદ્ધાંતોનું પુસ્તકારૂઢ થવું વગેરે)
દિગંબરોની ઉત્પત્તિ (વિક્રમ સંવત ૧૩૯)
શિવભૂતિ અથવા (સહસ્રમલ્લ) નામે એક માણસ રથવીર નામના નગરમાં રહેતો હતો; અને ત્યાંના રાજાની નોકરી કરતો હતો. એક વખતે રાત્રિએ કોઈ કારણસર તેની માતાએ તેને ઠપકો દેવાથી તે ઘર છોડીને ચાલતો થયો તથા જૈનોના ઉપાશ્રયમાં જઈ ત્યાં રહેલા આર્યકૃષ્ણ નામના આચાર્યજી પાસે તેણે દીક્ષા લીધી. એક વખતે ત્યાંના રાજાએ ખુશ થઈને તેને એક રત્નકંબલ (કિંમતી શાલ) આપી. તે ૫૨ તેને ઘણો મોહ લાગ્યો; તેથી ગુરુ મહારાજે તેને ઠપકો આપ્યો કે, આવી કિંમતી શાલ મોહનું કારણ હોવાથી સાધુએ રાખવી ન જોઈએ; એમ કહ્યા છતાં પણ તેણે તે શાલ તજી નહીં; આ શ્રી ગુરુમહારાજે એક વખતે તેની ગેરહાજરી દરમ્યાન તે કિંમતી શાલ ફડાવીને ફેંકી દેવરાવી; આથી તે સહસ્રમલ્લને ગુસ્સો આવ્યો, અને તે ગુસ્સાના આવેશમાં તેણે ગુરુને કહ્યું કે, જો એમ છે, તો સાધુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org