________________
જૈન ઈતિહાસ આર્યરક્ષિત તથા ફલ્યુરક્ષિત નામના બે પુત્રોનો જન્મ થયો હતો; તેઓ વેદશાસ્ત્ર આદિમાં મહાપારગામી હતા; તેઓમાંના . આર્યરક્ષિતજીએ પાટલીપુત્રમાં જઈ ઉપનિષદ્ આદિનો ઘણો અભ્યાસ કર્યો ત્યાંથી પાછા આવી પોતાની માતાને જ્યારે તેમણે નમસ્કાર કર્યા, ત્યારે માતા જૈનધર્મી હોવાથી તે વખતે સામાયિક વ્રતમાં હતી; તેથી તેણીએ તેમને તે સમયે આશિષ આપી નહીં. ત્યારે આર્યરક્ષિતજીએ વિચાર્યું કે, જે વિદ્યાથી મારી માતાને ખુશી ન ઊપજી, તે વિદ્યાને પણ ધિક્કાર છે ! પછી સામાયિક સંપૂર્ણ થયા બાદ તેમની માતાએ આર્યરક્ષિતજીને કહ્યું કે હે પુત્ર ! આ સંસાર વધારનારી વિદ્યાથી હું ખુશ થાઉં નહીં; પરંતુ હાલમાં આપણા સેલડીના વાઢમાં તોસલીપુત્ર નામે આચાર્ય પધાર્યા છે, તેમની પાસે મોક્ષ સુખ આપનારા દૃષ્ટિવાદનો જો તું અભ્યાસ કરે, તો હું ખુશ થાઉં. તે સાંભળીને તે તો લીપુત્ર આચાર્ય પાસે ગયા, તથા દીક્ષા લઈ પૂર્વોનો અભ્યાસ કરવા લાગ્યા; તથા બાકીનો અભ્યાસ તેમણે વજસ્વામીજી પાસે કર્યો; એવી રીતે તેમણે સાડા નવ પૂર્વોનો અભ્યાસ કર્યો, છેવટે તેમની માતા રૂદ્રસીમાએ પોતાના પુત્રને બોલાવવા માટે ફલ્યુરક્ષિતજીને મોકલ્યા; પરંતુ તે ફલ્યુરક્ષિતે પણ આર્યરક્ષિતજીનો પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. છેવટે આર્યરક્ષિતજીએ અભ્યાસથી કંટાળીને વજસ્વામીજીને કહ્યું કે, હે ભગવન્! હવે હું વળી બીજી વખતે આવીને બાકીનો અભ્યાસ સંપૂર્ણ કરીશ. ત્યારે વજસ્વામીએ જ્ઞાનબળથી જાણ્યું કે હવે તો મારું આયુષ્ય થોડું છે, માટે હવે આ આર્યરક્ષિતજીને પણ આટલાં જ પૂર્વે આવડશે; એમ વિચારી વજસ્વામીજીએ તેમને જવાની આજ્ઞા આપી. પછી આર્યરક્ષિતજી મહારાજ પણ વિહાર કરી દશપુરમાં આવી પોતાની માતાને મળ્યા; તથા પોતાના પિતાજીને પ્રતિબોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org