________________
જૈન ઈતિહાસ
વજનસૂરિ - વિક્રમ સંવત ૧૧૫ શ્રી વજસ્વામીની પાટે વજસેનસૂરિ થયા. તેમના સમયમાં દેશમાં બાર વર્ષોનો ભયંકર દુકાળ પડ્યો. એક વખતે વિહાર કરતા તે સોપારક નગરમાં પધાર્યા. તે નગરમાં એક જીનદત્ત નામે મહાધનાઢ્ય શ્રાવક વસતો હતો, તેને મહાગુણવાળી ઈશ્વરી નામે સ્ત્રી હતી. તેમના ઘરમાં દ્રવ્ય તો ઘણું હતું, પરંતુ દુકાળના કારણે ધાન્ય નહોતું, તેથી તેણીએ પોતાના કુટુંબને કહ્યું કે, હવે વધારે ધાન્ય ન હોવાથી આજે તો આપણે સર્વેએ વિષમિશ્રિત ભોજન કરવું, તથા પંચપરમેષ્ટીનું ધ્યાન ધરીને સમાધિપૂર્વક મૃત્યુનું આલંબન લેવું. કુટુંબે પણ તે વાત માન્ય રાખ્યાથી તેણીએ એક લાખ સોના મહોરોની કિંમતના ચોખા રાંધ્યા, તથા તેમાં વિષ ભેળવવાની તૈયારી કરે છે, તેટલામાં શ્રી વજસેનસૂરિજી ગોચરી માટે ત્યાં આવ્યા. તેમને જોઈ ઈશ્વરીએ ઘણા જ ભાવથી તે ભાત વોરાવીને પોતાનું લક્ષમૂલ્ય પાકનું સઘળું સ્વરૂપ કહી બતાવ્યું, ત્યારે આચાર્યજી મહારાજે કહ્યું કે, તે ભાગ્યવતી ! હવે તમે જરા પણ ફિકર કરો નહીં; આવતી કાલતી. સુકાળ થશે. તે વાત સાંભળી અત્યંત ખુશ થયેલી તે ઈશ્વરીએ તે દિવસ તો એક ક્ષણની પેઠે વ્યતીત કર્યો; પ્રભાત થતાં જ ત્યાં અનાજનો જથ્થો ભરીને વણજારાની પોઠો આવવાથી સુકાળ થયો. પછી તે જિનદત્ત શેઠે પણ પોતાનું દ્રવ્ય શુભ માર્ગે ખર્ચીને કુટુંબ સહિત શ્રીવજસેનસૂરિજી પાસે દીક્ષા લીધી.
આર્યરક્ષિતજી તથા દુર્બનિકાપુષ્પ વગેરે જયારે દશપુર નગરમાં ઉદાયન રાજા રાજય કરતો હતો, ત્યારે ત્યાંના રહેવાસી સોમદેવ પુરોહિતની સ્ત્રી રૂદ્રસોમાની કુલિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org