________________
જૈન ઈતિહાસ
પ૩ આપીને દીક્ષા દીધી; તથા તેમને શુદ્ધ સંયમધારી બનાવ્યા. હવે તે ગચ્છમાં ધૃતપુષ્પમિત્ર, વસપુષ્પમિત્ર તથા દુર્બનિકાપુષ્પમિત્ર નામે ત્રણ મુનિરાજો શાસ્ત્રના પારગામી હતા. ધૃતપુષ્પમિત્રને વૃતની લબ્ધિ હતી, વસ્ત્રપુષ્પમિત્રને વસ્ત્રોની લબ્ધિ હતી; તથા દુર્બનિકાપુષ્પમિત્ર ઘી, દૂધ આદિ પુષ્ટ પદાર્થોની હતી; જો કે તે ઘણું ભોજન કરતા તો પણ તેમનો અભ્યાસમાં એટલો બધો શ્રમ હતો, કે તેઓ હંમેશાં દુર્બળ જ રહેતા. વળી તે આર્યરક્ષિતજી મહારાજના ગચ્છમાં દુર્બલિકાપુષ્પમિત્ર, વિધ્ય, ફલ્યુરક્ષિત, અને ગોષ્ટામાહિલ એ ચારે મહાવિદ્વાન મુનિઓ હતા. આર્યરક્ષિતજી મહારાજે આગામી કાળમાં મનુષ્યોની ઘટતી બુદ્ધિ જાણીને તે માટે શાસ્ત્રોના ચાર અનુયોગો સ્થાપ્યા; અંગ, ઉપાંગ, મૂળ ગ્રંથ તથા છેદસૂત્રોને ચરણકરણાનુયોગમાં દાખલ કર્યા, ઉત્તરાધ્યયનાદિને ધર્મકથાનુયોગમાં દાખલ કર્યા, સૂર્યપન્નતિ આદિને ગણિતાનુયોગમાં દાખલ કર્યા, તથા દષ્ટિવાદને દ્રવ્યાનુયોગમાં દાખલ કર્યો. આર્યરક્ષિતજી મહારાજે પોતાની પાટે દુર્બનિકાપુષ્પમિત્રજીને સ્થાપ્યા; આથી ગોષ્ટામાહિલને ઈર્ષા થઈ, અને તેથી તે ગચ્છથી વિપરીતપણે વર્તીને સાતમા નિcવ તરીકે પ્રસિદ્ધ થયા. (વિક્રમ સંવત ૧૧૪)
શણુંજયનો જાવડશાહે કરેલો તેરમો ઉદ્ધાર
(વિક્રમ સંવત ૧૧૮) - શ્રી વજસ્વામીના વખતમાં વિક્રમ સંવત ૧૦૮ માં જાવડશાહ
નામના શેઠે શ્રી શત્રુંજય તીર્થનો તેરમો ઉદ્ધાર કર્યો; તથા ત્યાં મૂળ ' ' નાયકજીની પ્રતિમાની શ્રી વજસ્વામીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org