________________
૪૮
જૈન ઈતિહાસ ધિક્કાર્યો. એવામાં ત્યાં આર્યસમિતજી મહારાજ પણ આવી પહોંચ્યા; તથા જૈન શાસનની ઉન્નતિ માટે તેમણે નદી કિનારે આવી મંત્ર જપી કહ્યું કે, હે પુત્રી ! અમારે બીજે કાંઠે જવું છે; તે વચનની સાથે તે નદીના બંને તીરો એકઠાં થઈ ગયાં, જેથી આચાર્ય મહારાજ પરિવાર સહિત સામે કિનારે આવ્યા. શ્રી આર્યસમિતજીનો એવો પ્રભાવ જોઈને તે સર્વ તાપસોએ મિથ્યાત્વ તજીને તેમની પાસે દીક્ષા લીધી, અને તે તાપસમુનિઓ તથા તેમના વંશજો બ્રહ્મદીપવાસીના નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા.
હવે અહીં વજસ્વામી જ્યારે ત્રણ વર્ષના થયા, ત્યારે ધનગિરિજી આદિ વિહાર કરતા પાછા ત્યાં આવ્યા. સુનંદાએ પ્રથમથી વિચાર કર્યો હતો કે, જ્યારે ધનગિરિજી અહીં આવશે, ત્યારે તેમને કહીને હું મારો પુત્ર પાછો લઈશ. તેથી ધનગિરિજીને આવેલા જાણીને તેમની પાસે આવી પોતાના પુત્રની માગણી કરી, ત્યારે ધનગિરિજીએ કહ્યું, અરે ! ભોળી ! અમારા ભાગ્ય વિના તેં તારી મેળે જ તે પુત્ર આપ્યો છે, તો હવે વમેલાં ભોજનની પેઠે તેને તું પાછો લેવાની શા માટે ઇચ્છા કરે છે ? લોકોએ સુનંદા પર દયા આવવાથી કહ્યું કે, આ બાબતનો ન્યાય તો રાજા કરી શકે. પછી સુનંદા લોકો સહિત રાજા પાસે ગઈ, અને ધનગિરિજી પણ સંઘ સહિત ત્યાં ગયા. ત્યારે રાજાએ બંને પક્ષની વાત સાંભળીને કહ્યું કે, જેના બોલાવવાથી આ બાળક પાસે જાય તેને તે સ્વાધીન કરવો. ત્યારે પ્રથમ સુનંદાએ ભાતભાતનાં રમકડાં, મેવા, મીઠાઈ આદિ દેખાડીને તે બાળકને બોલાવ્યો, પરંતુ વજસ્વામી તો જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા, તેથી બિલકુલ તેણી પાસે ગયા નહીં. તેમણે વિચાર્યું કે જો કે માતાના ઉપકારનો બદલો તો કોઈ પણ રીતે વાળી શકાય તેમ નથી, પરંતુ આ સમયે જો હું માતા પર દયા લાવીને સંઘની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org