SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ ૪૭ અમારે ત્યાં તો ગુરુ મહારાજે થાપણ તરીકે રાખેલ છે, પરંતુ જ્યારે તેણે ઘણી હઠ લીધી ત્યારે તે શ્રાવિકાઓએ કહ્યું કે તું અમારે ઘેર આવીને સુખેથી તેને રમાડ, તથા ધવરાવ. પછી સુનંદા હંમેશાં તેમ કરવા લાગી. * આર્યસમિતાચાર્ય અચળપુર દેશમાં કન્યા અને પૂર્ણા નામની બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં કેટલાક તાપસો વસતા હતા; તેઓમાં પાદ લેપ જાણનારો એક તાપસ હતો, જે પગે લેપ કરીને જળ ઉપર પણ સ્થળની પેઠે ચાલતો હતો; તે જોઈ આશ્ચર્ય પામેલા જૈન લોકોની તે હાંસી કરતો કે, તમારા ધર્મમાં અમારા ધર્મ જેવા કોઈ પ્રભાવિક પુરૂષો નથી. એક વખતે વજસ્વામીના મામા આર્યસમિતજી ત્યાં પધાર્યા, તેમને શ્રાવકોએ તે વૃત્તાંત કહ્યું. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, તે ઔષધિઓનો લેપ કરી જળ પર ચાલે છે, તેમાં કંઈ પણ દૈવિક પ્રયોગ નથી; તેની જો તમારે ખાતરી કરવી હોય તો તેને ભોજન માટે બોલાવી તેના પગ ખૂબ ઘસીને ધોઈ નાંખજો, જેથી લેપ ઊતરી જવાથી તે જળ પર ચાલી શકશે નહીં. પછી શ્રાવકોએ ઘણા જ વિનયથી તેને ભોજન માટે ઘેર લાવી, તેના પગ એવા ઘસીને ધોયા કે, તે પરના લેપનો ગંધ પણ રહ્યો નહીં; આથી તે તાપસને એટલો તો ખેદ થયો કે તેને તે ભોજન પણ બિલકુલ ભાવ્યું નહીં; પછી તેણે જાણ્યું કે, કદાચ જો થોડો ઘણો લેપ હજુ પગ પર રહ્યો હશે તો સુખેથી નદી ઊતરી જઈશ. એમ વિચારી તે નદી કિનારે આવ્યો; ત્યાં કુતૂહલ જોવાની ઇચ્છાથી ઘણા લોકો એકઠા થયા. પછી જેવો તે તાપસ નદીમાં ચાલવા લાગ્યો, તેવો જ કિનારા પર જ કમંડલુંની પેઠે ડૂબવા લાગ્યો તે જોઈ લોકોએ તેની ઠગ વિદ્યા જાણીને તેને ઘણો જ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy