________________
૪૬
જૈન ઈતિહાસ
પણ સિંહગિરિજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી; એવામાં એક વખતે સિંહગિરિજી મહારાજ ધનગિરિજી આદિ પરિવાર સહિત ત્યાં. પધાર્યા ત્યારે આર્યસમિતજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે, જો આપની આજ્ઞા હોય તો આ ગામમાં અમારા સંસાર પક્ષનાં સગાંઓ રહે છે, તેમને વંદાવા માટે જઈએ, ત્યારે ગુરુ મહારાજે જ્ઞાનના બળથી જાણીને તેઓને કહ્યું કે, આજે તમને કંઈક ઉત્તમ વસ્તુનો લાભ થશે; માટે તમને જે કંઈ સચિત્ત અથવા અચિત્ત લાભ થાય, તે તમારે મારી આજ્ઞાથી ગ્રહણ કરી લેવો; પછી ધનગિરિજી વગેરે
જ્યારે સુનંદાને ઘેર આવ્યા ત્યારે પડોશણે જઈ સુનંદાને કહ્યું કે, આ ધનગિરિજી આવ્યા છે, માટે તેમને આ પુત્ર કે જે તને બહુ રંજાડે છે તે આપી દે. તે સાંભળી કંટાળી ગયેલી સુનંદાએ તુરત પુત્રને હાથમાં લઈ ધનગિરિજીને કહ્યું કે, આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન કરે છે, તેથી હું કંટાળી ગઈ છું, મારાથી તે સચવાતો નથી, માટે તે લઈ જાઓ, તો હું તે દુઃખથી છૂટું. તે સાંભળી ધનગિરિજીએ કહ્યું કે; તું જો આ પુત્ર અમને આપીશ તો પાછળથી તને પસ્તાવો થશે; અને અમે તો લઈ જશું, પણ પાછળથી તને પાછો મળશે નહીં. એ કહ્યા છતાં પણ કંટાળેલી સુનંદાએ તો તેને આપી દેવાનો આગ્રહ કર્યો; આથી કેટલાક પાડોશીઓને સાક્ષી રાખીને તે પુત્રને ધનગિરિજીએ પોતાની ઝોળીમાં લીધો; અને તેને લઈને ગુરુ પાસે આવ્યા. તે સમયે ગુરુ મહારાજે તે પુત્રને વધારે ભારવાળો જાણીને તેનું વજ એવું નામ કાયમ રાખીને તેનું પોષણ થવા માટે તેને સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ તેને પોષવા માટે ઉત્તમ શ્રાવિકાઓને સોંપ્યો, શ્રાવિકાઓ પણ તેને ઘણી ચાહનાથી પોષવા લાગી, અનુક્રમે શ્રીવજસ્વામીને મહાતેજસ્વી તથા રૂપવાન જોઈને સુનંદા તે શ્રાવિકાઓને કહેવા લાગી કે તે મારો પુત્ર છે, માટે મને આપો ત્યારે શ્રાવિકાઓએ કહ્યું કે, અમે તે વાત જાણતા નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org