________________
પ્રકરણ - 6.
વિક્રમ સંવત ૧ થી ૧૩૦ સુધી (શ્રી વજરવામી, આઈસમિતજી, વજસેનાચાર્ય, જાવડશાહનો
ઉદ્ધાર, આર્થરક્ષિતસૂરિ, દુબલિકા પુષ્પમિત્રસૂરિ)
શ્રી વજનવામી શ્રી સિંહગિરિજી મહારાજની પાટે શ્રી વજસ્વામી બેઠા, તેમનું વૃત્તાંત નીચે મુજબ છે :
અવંતી દેશમાં આવેલા તુંબવન નામે ગામમાં ધન નામે એક શેઠ વસતો હતો; તેને ધનગિરિ નામે એક પુત્ર હતો, તે બાળપણથી જ વૈરાગ્યવાન્ હતો; પરંતુ પિતાના આગ્રહથી સુનંદા નામની કન્યા સાથે તેણે લગ્ન કર્યા. કેટલેક સમયે તેણીને ગર્ભ રહ્યો; ત્યારે, ધનગિરિજીએ તો તુરત ત્યાંથી નિકળીને શ્રી સિંહગિરિજી મહારાજ પાસે દીક્ષા લીધી. નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો; જન્મ્યા પછી તુરત જ તે પુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું, તથા તેનું વજ એવું નામ રાખવામાં આવ્યું. એક વખતે ઘરમાં પોતાના પિતાએ દીક્ષા લીધી છે, એવી વાત સાંભળી, તેથી તેણે એવો નિશ્ચય કર્યો કે, મારે પણ જરૂર દીક્ષા લઈ આ મનુષ્ય જન્મને સફળ કરવો; પછી તેણે વિચાર્યું કે, જો હું ઘણું જ રડ્યા કરીશ, તો મારી માતા કંટાળો પામીને મને છોડી દેશે; એવા - વિચારથી તેણે અત્યંત રૂદન હંમેશાં કરવા માંડ્યું. કોઈ પણ ઉપાયથી તે રડતો બંધ થાય નહીં; હવે તે સુનંદાના ભાઈ આર્યસમિતજીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org