________________
૪૨.
જૈન ઈતિહાસ જૈનમંદિરમાં તેમણે એક વિશાળ સ્તંભ જોયો; તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તે સ્તંભમાં પૂર્વના મહાન્ આચાર્યોએ ચમત્કારી વિદ્યાનાં પુસ્તકો રાખીને તેને વજમય ઔષધિઓથી બંધ કરેલો છે; તેવા ખબર મળવાથી તેઓએ કેટલીક ઔષધિઓના પ્રયોગથી તે સ્તંભને ખોલી તેમાંથી એક પાનું કાઢી વાંચ્યું, તો તેમાં સાર્ષીપીવિદ્યા તથા સુવર્ણસિદ્ધિવિદ્યા જોઈ. બીજું પાનું કાઢવા જતાં તે સ્તંભ એકદમ બંધ થઈ ગયું; અને એવી અદશ્ય વાણી થઈ કે, બીજાં પાનાં તમારે વાંચવાં નહીં; તેથી તે બંને વિદ્યાઓ લઈને તેમણે ત્યાંથી વિહાર કર્યો. એવી રીતે અનેક પ્રકારથી જૈન ધર્મની પ્રભાવના કરીને આ મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજી લગભગ વિક્રમ સંવત ૩૦ માં દક્ષિણમાં આવેલા પ્રતિષ્ઠાનપુરમાં સ્વર્ગે પધાર્યા.
પાદલિપ્તસૂરિ (મહાવીર સંવત ૪૬૦) સરયૂ અને ગંગા નદીના પ્રદેશમાં કોશલા નગરીમાં કુલ્લ નામે એક શેઠ વસતા હતા, તેને પ્રતિમા નામની સ્ત્રી હતી; તેણીએ પુત્ર માટે વૈરૂત્યા દેવીની સેવા કરવાથી તેણીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે, નાગસૂરિ નામના જૈનાચાર્યના ચરણોદકનું જો તું પાન કરીશ, તો તને પુત્ર થશે. પછી તેણીએ તેમ કરવાથી તેણીને દશ પુત્રો થયા; તેમાંથી પહેલો પુત્ર તેણીએ તે આચાર્યજી મહારાજને આપ્યો; આચાર્યજીએ તેને યોગ્ય જાણી તેનું પાદલિપ્તસૂરિ નામ પાડીને પોતાની પાટે સ્થાપ્યા; અનુક્રમે આ પાદલિપ્તસૂરિ આકાશગામી આદિ ચમત્કારિક વિદ્યાઓમાં પારગામી થયા. તેમના નામના સ્મરણ માટે પાદલિપ્તપુર (પાલીતાણા)ની સ્થાપના થઈ છે. છેવટે તે શત્રુંજય પર નાગાર્જુન સહિત અનશન કરીને સ્વર્ગે પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org