________________
જેને ઈતિહાસ ભાષામાં આડંબરથી પોતાના પક્ષનું ખંડન કરવા માંડ્યું, પરંતુ ગોવાળીયાઓને તેમાં કંઈ સમજણ નહીં પડવાથી તેઓએ કહ્યું કે, આ વૃદ્ધવાદીજી સર્વજ્ઞ છે, અને તે જીત્યા છે. આથી સિદ્ધસેને હાથ જોડી વૃદ્ધવાદીજીને કહ્યું કે, હું હાર્યો, માટે મારી પ્રતિજ્ઞા મુજબ મને આપનો શિષ્ય કરો. પછી વૃદ્ધવાદીજીએ વિક્રમરાજાની સભા સમક્ષ પણ ધર્મચર્ચામાં તેને જીતીને પોતાનો શિષ્ય કર્યો, તથા તેમનું કુમુદચંદ્ર નામ રાખ્યું; તથા આચાર્ય પદવી સમયે તેમનું નામ સિદ્ધસેનદિવાકર રાખ્યું. પછી વૃદ્ધવાદીજી અન્ય જગાએ વિહાર કરી ગયા, તથા સિદ્ધસેનદિવાકર ઉજ્જયનીમાં રહ્યા. એક વખતે વિક્રમ રાજા હાથી પર બેસી શહેરમાં ફરતા હતા, તે વખતે સન્મુખ સિદ્ધસેનજીને આવતા જોઈને રાજાએ તેમની પરીક્ષા માટે મનથી જ નમસ્કાર કર્યા, અને તેથી સિદ્ધસેનજીએ પણ તેમને મોટા સ્વરથી ધર્મલાભ આપ્યો. ત્યારે રાજાએ પૂછ્યું કે, નમસ્કાર કર્યા વિના આપે મને કેમ ધર્મલાભ આપ્યો? ત્યારે સિદ્ધસેનજીએ કહ્યું કે તમોએ મને મનથી નમસ્કાર કર્યા છે, જેથી મેં તમોને ધર્મલાભ આપ્યો છે, તે સાંભળી રાજાએ હાથી પરથી ઊતરી તેમને વંદન કર્યું, અને એક ક્રોડ મહોરો આપવા માંડી, પરંતુ સિદ્ધસેનજીએ નિહિપણાથી તે ન લીધી તેથી સંઘે એકઠા થઈ તે દ્રવ્ય જિન મંદિરોના જીર્ણોદ્ધારમાં ખરચ્યું. પાછળથી સિદ્ધસેનજીએ પોતાની વિદ્યાકળાથી વિક્રમ રાજાને ખુશ કરીને જૈન ધર્મી કર્યો. તેથી રાજાએ કાર નગરમાં એક વિશાળ જૈન મંદિર બંધાવ્યું; પછી સિદ્ધસેનજીએ મહાકાળેશ્વરમાં રહેલી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને કલ્યાણમંદિર સ્તોત્ર રચીને પ્રગટ કરી. કેટલોક સમય ગયા બાદ રાજાના માન વગેરેથી સિદ્ધસેનજી શિથિલાચારી થઈ ગયા; તે બાબતની વૃદ્ધવાદીજીને ખબર પડવાથી તેમણે ત્યાં આવી યુક્તિથી પ્રતિબોધિને તેમને શિથિલાચારથી મુક્ત કર્યા. એક સમયે સિદ્ધસેનજી ચિત્તોડગઢમાં ગયા, ત્યાં એક પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org