SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જન ઈતિહાસ લાગ્યો. આથી આયખપુટ મહારાજે મંત્રના બળથી તે યક્ષને વશ કરીને નોકર કર્યો, તેથી જૈન ધર્મનો ઘણો મહિમા થયો. એક વખતે. તેમનો શિષ્ય ભુવન આકૃષ્ટિ નામની વિદ્યાની સાધના કરી તેના બળથી સ્વાદિષ્ટ ભોજનને ગૃહસ્થોના ઘરથી ખેંચીને આહાર કરવા લાગ્યો, તથા સ્વચ્છંદાચારથી વર્તવા લાગ્યો, ત્યારે શાસનની હિલના થતી જોઈને આર્યખપુટજીએ તેની વિદ્યા ખેંચી લીધી; તથા તેને શિક્ષા આપીને પાછો સ્થિર કર્યો; આ આયખપુટજી મહારાજ ઘણા જ પ્રભાવિક થયા છે; તેમણે ભરૂચમાં બુદ્ધની પ્રતિમાને મંત્રથી : નમાવેલી છે, જે આજે પણ અર્ધી નમેલી છે, તથા નિગ્રંથનમિતના નામથી પ્રસિદ્ધ છે. વૃદ્ધવાદીજી, સિદ્ધસેન દિવાકર તથા વિક્રમ રાજા વિદ્યાધર ગચ્છમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદીજી થયા; તે સમયમાં ઉજજયની નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. તેની સભામાં દેવઋષિ નામનો મંત્રી હતો, તેની દૈવસિકા નામની સ્ત્રીથી સિદ્ધસેન દિવાકરનો જન્મ થયો હતો; તે બહુ વિદ્વાન તથા ઘણો અભિમાની હતો. એક વખતે તેણે વૃદ્ધવાદીજીની ઘણી કીર્તિ સાંભળી તેથી તેને જીતવા માટે તે ભરૂચ તરફ ચાલ્યો; ત્યાં માર્ગમાં વનમાં જ વૃદ્ધવાદીજી તેને મળ્યા, ત્યારે સિદ્ધસેને ત્યાં જ વાદ કરવાનું કહેવાથી વૃદ્ધવાદીજીએ કહ્યું કે, અહીં વનમાં આપણી હાર-જીતનો સાક્ષી કોણ રહે ? ત્યારે સિદ્ધસેને કહ્યું કે, આ ગાયો ચરાવનારા ગોવાળીયા આપણા સાક્ષી થશે; અને તેઓ હારજીતની પરીક્ષા કરશે. પછી ત્યાં વૃદ્ધવાદીજીએ અવસર વિચારીને જે બાબતને ગોવાળીયા સમજી શકે, તથા તેમને જે પ્રિય લાગે, એવો એક ગરબો નાચતાં નાચતાં ગાયો, તેથી ગોવાળીયા ખુશી થયા; સિદ્ધસેને તો ન્યાયયુક્ત સંસ્કૃત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy