________________
પ્રકરણ - ૫ )
મહાવીર સંવત ૪૫૩ થી ૪૦૦ સુધીના બનાવો
(શ્રી દિન્નસુરિ, સિંહગિરિજી, આર્ય ખપૂટાચાર્ય, વૃદ્ધવાદિ, સિદ્ધસેન દિવાકર, વિક્રમ રાજા,
પાદલિપ્તસૂરિ, નાગાર્જુન)
શ્રી દિન્નસૂરિ તથા સિંહગિરિજી શ્રી ઇંદ્રદિસૂરિની પાટે શ્રી દિનસૂરિ થયા, તથા તેમની પાટે શ્રી સિંહગિરિજી થયા.'
* આર્ય ખપૂટાચાર્ય આ શ્રી આર્યખપુટાચાર્ય શ્રી મહાવીર સંવત ચારસો ત્રેપનની સાલમાં લગભગ થયેલા જણાય છે. તેમનું વૃત્તાંત એવું છે કે, લાટ દેશમાં રેવા નદીના કિનારા પર ભરૂચ શહેરમાં કાલકાચાર્યજીનો જમાઈ બળમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં આ આચાર્ય પણ વસતા હતા. તેમનો ભુવન નામનો એક શિષ્ય ઘણો વિદ્વાન હતો, અને સંસારપક્ષમાં તે આયખપુટજીનો ભાણેજ પણ થતો હતો. એક વખતે ગુડશસ્ત્ર નગરથી બટુકર નામે એક બૌદ્ધોના આચાર્ય ત્યાં આવ્યા, તેને ધર્મવાદમાં જીતવાથી ખેદ પામી તે ભુવને અનશન કરી ત્યાં વ્યંતરરૂપે ઉત્પન્ન થયો; તથા જૈન સાધુઓને ઉપદ્રવ કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org