________________
૩૮
જૈન ઈતિહાસ ધર્મવાદમાં જીત્યો, તેથી તે મનમાં દ્વેષ લાવીને આચાર્યજીને અનુકૂળ ઉપસર્ગ કરવાની બુદ્ધિથી રાજાને કહેવા લાગ્યો કે, આપણા આ મહાન ગુરુ આપણા પુણ્યથી જ અહીં પધાર્યા છે, માટે આપે નગરમાં એવી ઉદ્ઘોષણા કરાવવી કે, આપણા આચાર્યના શિષ્યોને સર્વ લોકોએ ઉત્તમ ભોજન આદિ આપવું; રાજાએ તેમ કરવાથી મુનિને લાયક આહાર ન મળવાથી આચાર્યજી ત્યાંથી વિહાર કરીને પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાંના રાજાએ પર્યુષણ નજદીક આવવાથી આચાર્ય મહારાજને વિનંતી કરી કે, હે ભગવન્ ! ભાદરવા સુદી પાંચમને દિવસે અત્રે હંમેશાં ઇન્દ્રમહોત્સવ થાય છે; માટે લોકોનાં મન તેમાં વ્યગ્ર થશે; તેથી છઠ્ઠને દિવસે પર્યુષણાપર્વ કરાય તો ઠીક. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, પંચમી ઉલ્લંઘીને પર્યુષણ કરવાની મનાઈ છે, પરંતુ એક દિવસ આગળ એટલે ચોથને દિવસે પર્યુષણ થઈ શકશે. એવી રીતે રાજાના ઉપરોધથી કાલકાચાર્યજીએ કારણ પડ્યાથી ચોથનાં પજુસણ કર્યા છે. આ શ્રી કાલકાચાર્યજી મહાવીર સંવત ચારસો ત્રેપનમાં થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org