SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ ગદ્ધભિલ્લનો નાશ કરવા માટે તેને સમજાવ્યો. પણ તે શકરાજા પાસે ઘણું દ્રવ્ય ન હોવાથી તે વિચારમાં પડ્યો, તે જોઈ કાલકાચાર્યજીએ સુવર્ણ સિદ્ધિના બળથી તેણે ઘણું દ્રવ્ય એકઠું કરી આપ્યું, તેથી તે શકરાજા ગંજાવર લશ્કર એકઠું કરીને માળવાની હદ પર આવ્યો, હવે ગદ્ધભિલ્લ રાજાને પોતાની રાસથી વિદ્યાનું ઘણું અભિમાન હતું, તેથી તેણે લડવાની કંઈ પણ તૈયારી કરી નહીં. કેમ કે તે દરેક આઠમ અને ચૌદસે એક હજાર આઠ જપ કરી રાસથી વિદ્યાનું સ્મરણ કરતો, અને તે વિદ્યા પ્રત્યક્ષ થઈને શબ્દ કરતી, કે જેથી ફરતા સાત કોશમાં રાજાનો જે શત્રુ તેનો નાદ સાંભળે તેનું મૃત્યું થતું હતું. તેથી આચાર્યજીના કહેવા મુજબ તે હદની બહાર તે શકરાજાએ પોતાના લશ્કરનો પડાવ નાખ્યો; પછી શબ્દવેધી બાણ મારનારા એકસો ને આઠ સુભટોને આચાર્યજીએ પોતાની પાસે રાખ્યા. પછી જ્યારે તે રાસભી વિદ્યા મુખ ખુલ્લું કરી શબ્દ કરવા લાગી, ત્યારે તુરત તે સુભટોએ છોડેલાં બાણોથી તેણીનું મુખ ભરાઈ ગયું, ત્યારે તે રાસથી ગદ્ધભિલ્લ રાજા પર મૂત્ર અને વિષ્ટા કરીને તથા તેને લાત મારીને અંતર્ધાન થઈ ગઈ. એવી રીતે તેને નિર્બળ થયેલો જાણીને શકરાજાએ એકદમ ઉજ્જયની પર હલ્લો કરી ગદ્ધભિલ્લને પકડીને આચાર્યજી પાસે ઊભો કર્યો, ત્યારે આચાર્યજીએ તેને કહ્યું કે, અરે ! દુષ્ટ ! તેં સાધ્વીજીને જે કષ્ટ આપ્યું છે, તેનું નરકરૂપ ફળ તો હજુ હવે મળશે; એમ કહી છોડી મૂકવાથી તે વનમાં ગયો, જ્યાં તેને વાઘે મારી નાખવાથી તે નરકે ગયો. પછી આચાર્યજીએ પણ સરસ્વતી સાધ્વીને ફરી દીક્ષા આપી શુદ્ધ કરી. એક વખતે કાલકાચાર્યજીને તેમના ભાણેજ બળમિત્ર નામના ભરૂચના રાજાએ બોલાવવા માટે પોતાના મંત્રીઓને મોકલ્યા. તેથી આચાર્યજી પણ વિહાર કરીને ભરૂચમાં પધાર્યા. રાજાએ પણ તેમનો ઘણા આદર સન્માનથી પ્રવેશ મહોત્સવ કર્યો. એક વખતે તે રાજાના એક મિથ્યાત્વી પુરોહિતને આચાર્યજીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy