SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ ઉમારવાતિજી, શ્યામાચાર્ય, (પહેલા કાલકાચાર્ય) પન્નવણા સૂત્રની રચના (મહાવીર સંવત ૩૦૬) * શ્રી આર્ય મહાગિરિના શિષ્ય બલિસ્સહસૂરિ થયા, અને તેમના શિષ્ય ઉમાસ્વાતિજી (શ્વેતાંબરમતે) થયા; તેમણે તત્ત્વાર્થ વગેરે પાંચસો ગ્રંથો બનાવ્યા. તથા તેમના શિષ્ય શ્યામાચાર્ય (પહેલા કાલકાચાર્ય થયા.) તેમણે પન્નવણા સૂત્રની રચના કરી. ઇન્દ્રન્નિસૂરિ ગદ્ધભિલ્લ રાજાનો ઉચ્છેદ કરનાર બીજા કાલકાચાર્ય શ્રી સુસ્થિતાચાર્યની પાટે શ્રી ઇન્દ્રન્નિસૂરિ થયા. તેમના સમય પછી મહાવીર સંવત ચારસો ત્રેપનમાં ગદ્ધભિલ્લ રાજાનો નાશ કરનારા બીજા કાલકાચાર્ય થયા. તેમનું વૃત્તાંત નીચે મુજબ છે : ધારાવાસ નગરના વૈરસિંહ નામના રાજાની સુરસુંદરી નામે રાણીની કુક્ષિએ આ કાલકાચાર્યજીનો જન્મ થયો હતો. તેમણે એક સમયે વૈરાગ્ય પામી ગુણાકાર મુનિ પાસે દીક્ષા લીધી, તથા તેમની બહેન સરસ્વતીએ પણ દીક્ષા લીધી. એક વખતે કાલકાચાર્યજી વિહાર કરતાં કરતાં ઉજ્જયનીમાં આવ્યા, તે વખતે ત્યાંનો ગદ્ધભિલ્લ રાજા સરસ્વતી સાધ્વીને ઘણી જ ખૂબસૂરત જોઈ કામાતુર થયો, અને ઉપાડી ગયો ત્યારે કાલકાચાર્યજીએ પોતે રાજસભામાં જઈ રાજાને ઘણો સમજાવ્યો, તેમજ મંત્રીઓએ પણ રાજાને સમજાવ્યો, પરંતુ તે કામાંધ રાજાએ તેમના કહેવા પર કંઈ પણ ધ્યાન આપ્યું નહીં, ત્યારે કાલકાચાર્યજી તે રાજાનો વિનાશ કરવાની પ્રતિજ્ઞા કરીને ત્યાંથી વિહાર કરી શકજાતિના રાજા પાસે આવ્યા, તથા તે રાજાને વિદ્યાના કેટલાક ચમત્કારો બતાવીને ખુશી કર્યો, તથા માળવાના રાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy