________________
જૈન ઈતિહાસ
૩૫ ઘણા કાળ સુધી તો મારાથી વ્રત કષ્ટ સહન થશે નહીં, એમ વિચારી અનશન કરવા માટે ગુરુની આજ્ઞા લઈ, તે સ્મશાનભૂમિમાં જઈ કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં એક ભૂખી શિયાળે તેના બચ્ચાઓ સાથે આવી તે જ રાત્રિએ તેમના શરીરનું ભક્ષણ કર્યું, જેથી સમાધિપૂર્વક કાળ કરી તે નલિની ગુલ્મ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા; પ્રભાતે તેમની માતાને તે વૃત્તાંત જાણવાથી તેણીએ પણ અવંતિસુકમાલની એક ગર્ભિણી સ્ત્રીને ઘેર રાખી બાકીની સર્વ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. પાછળથી તે ગર્ભિણી સ્ત્રીને પુત્ર થયો, તથા તે પુત્રે પોતાના પિતા મુનિના સ્મરણાર્થે અવંતિપાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું; તે મંદિર પાછળથી બ્રાહ્મણોએ હાથ કરી, પાર્શ્વનાથજીની મૂર્તિ ભૂમિમાં ભંડારીને મહાકાળ મહાદેવની મૂર્તિ તેમાં સ્થાપન કરી. પાછળથી વિક્રમ રાજાના સમયમાં થયેલા પ્રભાવિક જૈનાચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરજીએ કલ્યાણ મંદિર સ્તોત્ર રચીને તેમાંથી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી; આજે પણ તે મંદિર મહાકાળેશ્વરના નામથી ઉજ્જયનીમાં પ્રસિદ્ધ છે. શ્રી આર્યસુહસ્તિ મહારાજ શ્રી મહાવીર પ્રભુ પછી બસો ને એકાણુ વર્ષે સ્વર્ગે પધાર્યા.
સુસ્થિતાચાર્ય તથા સુપ્રતિબદ્ધાચાર્ય
કોટિગણની સ્થાપના . આર્ય સુહસ્તિ મહારાજની પાટે સુચિતાચાર્ય તથા સુપ્રતિબદ્ધાચાર્ય બેઠા; તેઓએ ક્રોડવાર સૂરિમંત્રનો જપ કર્યો, તેથી સુધર્માસ્વામિથી ગચ્છનું જે નિગ્રંથ નામ ચાલ્યું આવતું હતું, તેને બદલે કોટિગણનું નામ પડ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org