________________
જૈન ઈતિહાસ ઘણાં જિન મંદિરો હયાત છે, તથા તેમણે ભરાવેલી ઘણી જિન પ્રતિમાઓ પણ જોવામાં આવે છે. તેમણે બજારમાં કંદોઈ વગેરે દુકાનદારોને પણ એવો હુકમ ફરમાવ્યો કે, તમારે જૈન સાધુઓને જે કંઈ ચીજ ભોજન વગેરે જોઈએ તે આપવું, અને તેના પૈસા રાજની તિજોરીમાંથી લેવા. એવી રીતે સાધુઓને રાજપિંડ લેતા જોઈને આર્યમહાગિરિજીએ આર્યસુહસ્તિજીને ઠપકો આપ્યો કે, તમો જાણી જોઈને જે રાજપિંડ લો છો, તે ઉચિત નથી. એમ ઠપકો આપી આર્યમહાગિરિજી ત્યાંથી વિહાર કરી ગજેન્દ્રપદ તીર્થમાં આવી અનશન કરી સ્વર્ગે ગયા.
અવંતિસુકમાલ અને આર્ય સુહતિજી એક વખતે આર્ય સુહસ્તિજી મહારાજ વિહાર કરતા ફરીને ઉજ્જયની નગરીમાં આવી ભદ્રા શેઠાણીની વાહનશાળામાં રહ્યા. તે ભદ્રાનો અવંતિસુકમાલ નામે એક મહા તેજસ્વી પુત્ર હતો, તે પોતાની બત્રીસ સ્ત્રીઓ સહિત દેવતાઈ સુખ ભોગવતો હતો અને સાતમી ભૂમિ પર રહેતો હતો. એક વખતે સંધ્યાકાળે આર્ય સુહસ્તિજી મહારાજ નલિની ગુલ્મ નામના અધ્યયનનો પાઠ કરતા હતા, તે પાઠ અવંતિસુકુમાલે સાંભળ્યો; તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેણે નીચે ઊતરી આચાર્ય મહારાજને વંદન કરી કહ્યું કે, હે ભગવન્! પૂર્વભવમાં મેં આ નલિની ગુલ્મ વિમાનનું સુખ ભોગવ્યું છે. માટે વળી પણ ત્યાં જવા માટે હું તો દીક્ષા લઈશ. એમ કહી તે પોતાની માતાની આજ્ઞા લેવા ગયા, પરંતુ માતાએ આજ્ઞા ન આપવાથી ત્યાં જ કેશનો લોચ કરી, તેમણે મુનિનો વેષ પહેરી લીધો; પછી સુહસ્તિજી મહારાજ પાસે આવ્યા; ત્યારે સુહસ્તિજીએ તેમને દીક્ષા આપી. ત્યારબાદ પોતે અત્યંત સુકુમાલ હોવાથી વિચાર્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org