________________
જેને ઈતિહાસ
૩૩ ભોજન કર્યું કે, જેથી તેનો શ્વાસોશ્વાસ રોકાઈ ગયો. તે વખતે મોટા મોટા ધનાઢ્ય જૈન શાહુકારો વગેરેએ જૈન મુનિ જાણીને તેને ઘણા ઔષધ ઉપચારો કર્યા, તથા તે રંકની તેઓ સેવા ચાકરી કરવા લાગ્યા. તે જોઈ તે રંકને એવો શુદ્ધ પરિણામ આવ્યો કે, અહો ધન્ય છે, આ જૈન મુનિના વેષને, કે આવા ધનાઢ્ય શાહુકારો પણ મારી આ વખતે સેવા કરે છે; એમ ભાવના ભાવતાં તે જ રાત્રિએ તે મૃત્યુ પામીને કુણાલ રાજાનો સંપ્રતિ નામે પુત્ર થયો. હવે એક વખતે ઉજ્જયની નગરીમાં જીવીતસ્વામિની જિનપ્રતિમાની રથયાત્રા થઈ, ત્યારે તે પ્રસંગે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજી પોતાના પરિવાર સહિત ત્યાં પધાર્યા; રથયાત્રાનો વરઘોડો ચાલતો ચાલતો સંપ્રતિ રાજાના મહેલ પાસેથી નીકળ્યો; ત્યારે જરૂખામાં બેઠેલા સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિજીને જોયા; તથા વિચાર્યું કે, આ મુનિને મેં કોઈક વખતે જોયા છે, એમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તેમને પોતાનો પૂર્વ ભવ સાંભર્યો. આર્ય સુહસ્તિજીને પોતાના પૂર્વભવના ગુરુ જાણીને તુરંત જરૂખામાંથી નીચે ઊતરી સંપ્રતિ રાજાએ તેમને વંદન કર્યું; તથા પોતાને થયેલ જાતિસ્મરણ સંબંધી વૃત્તાંત જણાવ્યું. સુહસ્તિજીએ પણ જ્ઞાનનો ઉપયોગ દઈ તેમના પૂર્વભવનું વૃત્તાંત જાણ્યું. પછી રાજાએ વિનંતી કરી કે, હે ભગવન્! હું આપના પસાયથી આ રાજય પામ્યો છું, માટે હવે આપ કૃપા કરી મને જેમ ફરમાવો તેમ કરવાને હું તૈયાર છું. પછી તે રાજાએ સમ્યક્ત મૂલ બાર વ્રતો અંગીકાર કરી જૈન ધર્મનો ઘણો જ મહિમા વધાય; રાજયમાં સર્વ જગ્યાએ અમારિપડહ વગડાવ્યો; દાનશાળાઓ બંધાવી; અનાર્ય દેશમાં પણ તેણે ઉપદેશકો મોકલી જૈન ધર્મનો ફેલાવો કર્યો. તેણે છત્રીસ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, સવા લાખ નવાં જિન મંદિરો બંધાવ્યાં, તથા સવા ક્રિોડ જિન પ્રતિમાઓ ભરાવી. આજે પણ સંપ્રતિરાજાના બંધાવેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org