________________
૩૨
જૈન ઈતિહાસ ઉપાશ્રયે જઈ સુહસ્તિજીને ઓલંભો દેવા લાગ્યા કે, તમોએ ગઈ કાલે વસુભૂતિ આદિને ઉપદેશ દઈને મોટું અનુચિત કાર્ય કર્યું છે, કેમ કે તેઓએ મારે માટે ભિક્ષાની સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હતી. તે સાંભળી સુહસ્તિજીએ વિનયથી તેમને ચરણે પડી ક્ષમા માગી કે, હવે ફરીને હું તેમ કરીશ નહીં.
આર્યસુહસ્તિજી તથા સંપ્રતિરાજા
એક વખતે આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજી વિહાર કરતા કરતા પરિવાર સહિત કોશાંબીનગરીમાં આવ્યા. ત્યાં તે વખતે મોટો દુકાળ પડ્યો હતો; જેથી લોકોને અન્ન મળવું મુશ્કેલ થઈ પડ્યું હતું. પરંતુ જૈન મુનિઓને તેમના ભક્ત જૈનો તરફથી પુષ્કળ અન્ન મળતું હતું. એક વખતે કેટલાક સાધુઓ એક શેઠને ધેર ભિક્ષા માટે ગયા; તેમની પાછળ એક રંક ભિખારી પણ ગયો. ત્યાં તે ભિખારીના દેખતાં સાધુઓને લાડુ, મિષ્ટાન્ન આદિ મળ્યાં. પછી જ્યારે તે સાધુઓ તે લઈને ઉપાશ્રય તરફ જવા લાગ્યા, ત્યારે તે ભિખારીએ તેમની પાછળ જઈ તેમની પાસે ભોજન માગ્યું. ત્યારે તે સાધુઓએ કહ્યું કે, અમારાથી તે અમારા ગુરુની રજા વિના આપી શકાય નહીં; તે સાંભળી તે ભિખારી તો તેમની પાછળ ઉપાશ્રયે ગયો; તથા દીન મુખ કરી ભોજન માગવા લાગ્યો; ત્યારે આર્ય સુહસ્તિજી મહારાજે જ્ઞાનના બળથી જાણ્યું કે, આ ભિખારી આગામી ભવમાં જૈન શાસનનો મહિમા વધારનારો થશે, એમ વિચારી તેઓએ તેને કહ્યું કે, જો તું દીક્ષા લઈ અમારા જેવો થા, તો અમે તને ભોજન આપીએ. પછી તે રંક ભિખારીએ પણ દીક્ષા લેવાનું કબૂલ કરવાથી ગુરુએ તેને દીક્ષા આપીને તેને તેની મરજી મુજબ લાડુ આદિનું ભોજન આપ્યું. તે ઘણો ભૂખ્યો હોવાથી તેણે એટલું તો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org