________________
પ્રકરણ
(આર્ય મહાગિરિ આર્ય સુહસ્તિ, સંપ્રતિરાજા, અવંતિસુકુમાલ, સુસ્થિતાચાર્ય, સુપ્રતિબદ્ધાચાર્ય, કોટિગચ્છની સ્થાપના, શ્વેતાંબરમતે ઉમાસ્વાતિવાચક, ઇન્દ્રદિન્નસૂરિ, ગદ્ધભિલ રાજાનો ઉચ્છેદ તથા શ્યામાચાર્યજીનું વૃત્તાંત અને
કારણિક ચોથ કરનાર કાલકાચાર્યજીનું વૃત્તાંત)
܀
આર્યમહાગિરિજી તથા આર્યસુહસ્તિજી
શ્રી સ્થૂળભદ્રજીની પાટે આર્યમહાગિરિજી તથા આર્યસુહસ્તિજી બેઠા. કેટલાક સમય પછી આર્યમહાગિરિજીએ પોતાના શિષ્યોનો પરિવાર આર્યસુહસ્તિજીને સોંપીને પોતે જિનકલ્પીની તુલના કરી વિચરવા લાગ્યા. એક વખતે આર્યસુહસ્તિજી મહારાજ વસુભૂતિ નામના શેઠને ઘેર તેના પરિવારને પ્રતિબોધવા ગયા, ત્યાં આર્યમહાગિરિજી પણ અનાયાસે ભિક્ષા માટે આવ્યા, તેમને આવતા જોઈ આર્યસુહસ્તિજીએ ઊભા થઈ વંદન કર્યું; તથા તે વસુભૂતિ આદિને એવો ઉપદેશ આપ્યો કે, આવા મુનિ જ્યારે ભિક્ષા માટે આવે ત્યારે તેમને કહેવું કે, આ સઘળું ભોજન અમારે ઉપયોગનું નથી, આપ ગ્રહણ કરો. એમ કરવાથી તમોને મહાન્ પુણ્યનો લાભ થશે. એવી રીતે તેમને પ્રતિબોધીને સુહસ્તિજી મહારાજ પોતાને ઉપાશ્રયે આવ્યા; બીજે દિવસે પાછા આર્ય મહાગિરિજી તે વસુભૂતિને ઘેર ભિક્ષા માટે આવ્યા; ત્યાં ભિક્ષાની ઉચિત સામગ્રી જોઈને જ્ઞાનના ઉપયોગથી અશુદ્ધ ભિક્ષા જાણીને તે લીધા વિના જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org