________________
૩૦
જેને ઈતિહાસ રાજપુત્રને બેસવાના આસન પર ચડી બેઠો, ત્યારે એક દાસીએ આવીને કહ્યું કે, હે બ્રાહ્મણ ! તું બીજા આસન પર બેસ. ચાણક્ય તે. આસન નહીં છોડવાથી દાસીએ તેને લાત મારી ઉઠાડ્યો, આથી તેણે ક્રોધ પામી એવી પ્રતિજ્ઞા કરી કે, આ નંદરાજાનો તેના પરિવાર સહિત હું વિનાશ કરીશ. એમ વિચારી તે રાજયને યોગ્ય એક પુરુષની શોધ કરવા માટે દેશોદેશ ભમવા લાગ્યો. એટલામાં નિંદરાજાના મયૂર પોષકોના ચંદ્રગુપ્ત નામના એક પુત્રને તેણે રાજ્યને યોગ્ય જોયો, તેને લઈને રસસિદ્ધિથી તેણે કેટલુંક દ્રવ્ય પેદા કરીને સૈન્ય એકઠું કર્યું, તથા નંદરાજાના દેશ લુંટવા લાગ્યો. છેવટે પાટલીપુત્રને ઘેરો ઘાલીને તેણે નંદરાજાને હરાવી ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદી પર બેસાડ્યો. ચંદ્રગુપ્ત રાજા હંમેશાં ચાણક્યની સલાહ મુજબ વર્તતો, અને ચાણક્ય પણ અનેક રીતીઓથી તથા યુક્તિઓથી તેના રાજ્યને આબાદ કર્યું. એવામાં તે દેશમાં દુકાળ પડવાથી સાધુઓને આહાર મળવામાં મુશ્કેલી પડવા માંડી; તેથી ચાણક્ય તે માટે ઘટતો બંદોબસ્ત કર્યો કે જેથી સાધુઓને આહાર માટે મુશ્કેલી પડે નહીં. ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ તેનો પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યો, તેના વખતમાં ચાણક્ય અનશન કરી સ્વર્ગે ગયા. બિંદુસારનો પુત્ર અશોક થયો, તથા તેનો પુત્ર કુણાલ થયો, અને કુણાલનો પુત્ર સંપ્રતિ રાજા થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org