________________
જૈન ઈતિહાસ
૨૯ કે હવે ત્યાં સિંહ નથી, પણ તમારા ભાઈ જ બેઠા છે. ત્યારે ફરીને તેઓ ત્યાં ગયાં અને સ્થૂળભદ્રજીને ઓળખી તેમને વંદના કરી, તથા કેટલીક વાતચીત કર્યા બાદ તેઓ પોતાને સ્થાને ગઈ. ત્યારબાદ સ્થૂળભદ્રજી વાચનાનો પાઠ લેવા માટે શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવ્યા, પરંતુ સિંહરૂપની વિકૃતિથી તેમને અયોગ્ય જાણી વાંચના આપી નહીં. ત્યારબાદ સંઘના ઘણા આગ્રહથી ફક્ત મૂળ પાઠથી બાકીના ચાર પૂર્વોની વાચના ભદ્રબાહુસ્વામીજીએ સ્થૂળભદ્રજીને આપી, પરંતુ તેનો અર્થ કહ્યો નહીં. સ્થૂળભદ્રજી મહારાજ શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી બસોને ઓગણીસ વર્ષે સ્વર્ગે પધાર્યા. ' હવે ગોલ્લદેશમાં ચણક નામના ગામમાં ચણી નામે બ્રાહ્મણ વસતો હતો, તેને ચણેશ્વરી નામે સ્ત્રી હતી. તેઓ બંને જૈનધર્મ પાળતા હતાં. તેઓને ઘેર જન્મથી દાંત સહિત એક પુત્રનો જન્મ થયો, તે વખતે કોઈક જ્ઞાની જૈનમુનિ ત્યાં પધાર્યા, તેમને તે બ્રાહ્મણે પોતાના પુત્રની વાત કહી, ત્યારે મુનિએ કહ્યું કે, તમારો તે પુત્ર રાજા થશે, ત્યારે બ્રાહ્મણે વિચાર્યું કે, રાજ્ય મળવાથી તો મહાઆરંભ કરવાથી તે નરકગામી થશે, એમ વિચારી તેણે તે બાળકના દાંત ઘસી નાખ્યા; અને મુનિને તે વાત કહેવાથી તેમણે કહ્યું દાંત ઘસવાથી તે હવે રાજા જેવો રાજાનો હજુરી થશે. પછી તે બ્રાહ્મણે તેનું ચાણક્ય નામ પાડ્યું. તે ચાણક્ય મહાબુદ્ધિવાન તથા જૈન ધર્મમાં દઢ ચિત્તવાળો થયો. એક વખતે તેની સ્ત્રી પોતાને પીયર પોતાના ભાઈના લગ્નપ્રસંગે ગઈ, ત્યાં તેની બીજી બહેનો પણ આવી હતી. ચાણક્ય નિર્ધન હોવાથી તેની સ્ત્રીને કંઈ આભૂષણો વગેરે ન હોવાથી તેણીની બીજી બહેનોએ તેણીની હાંસી કરી. આથી કરીને ઘેર આવીને તે ચાણક્ય પાસે રડવા લાગી. ચાણક્ય પણ નિર્ધનપણાથી ખેદ પામીને પાટલીપુત્ર નગરમાં આવ્યો, કેમ કે ત્યાંનો નંદરાજા બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપતો હતો. ત્યાં તે રાજસભામાં આવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org