SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન ઈતિહાસ કેટલીક આનાકાની સાથે કુળના રક્ષણ માટે શ્રીયકે તેમ કરવાનું કબૂલ કર્યું, પછી એવી રીતે રાજાની સમક્ષ શ્રીચેક પોતાના પિતાનું મસ્તક છેદવાથી રાજાનો શ્રીયક પર ઘણો વિશ્વાસ આવ્યો, તેથી તેણે મંત્રીપદ લેવાનું કહ્યું, ત્યારે શ્રીયકે કહ્યું કે, મારા મોટાભાઈ સ્થૂળભદ્ર કોશા વેશ્યાને ત્યાં આજે વર્ષો થયાં રહ્યા છે. માટે તેમને તેડાવીને મંત્રી પદવી આપો. રાજાએ સ્થૂળભદ્રને બોલાવીને મંત્રીની પદવી લેવાનું કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે, હું વિચારીને જવાબ આપીશ. રાજાએ કહ્યું કે, તમે આજે જ વિચારીને મને જવાબ આપજો. પછી : ત્યાંથી જઈ ઘૂળભદ્રજીએ વિચાર્યું કે, અહો ! આ મંત્રી પદવી લઈને તો સંસારની મોટી ખટપટની જાળમાં પડવું પડેશે, ખરેખર આ સંસાર અસાર છે; એમ વિચારી વૈરાગ્ય થવાથી તેમણે સાધુનો વેષ લઈ રાજા પાસે જઈ ધર્મલાભ દઈ કહ્યું કે, હે રાજન્ ! મેં તો આવો વિચાર કરી લીધો છે; એમ કહી ત્યાંથી એકદમ નીકળી સંભૂતિવિજયજી આચાર્ય પાસે જઈ તેમણે તો દીક્ષા લીધી. તેથી રાજાએ શ્રીયકને મંત્રીપદ આપ્યું. ત્યારબાદ શ્રીયકે વિચાર્યું કે, મારા પિતાના મૃત્યુનું કારણ આ દુષ્ટ વરરુચિ છે, માટે મારે તે વૈર વાળવું જોઈએ; એમ વિચારી તેણે કોશા વેશ્યા કે જે સ્થૂળભદ્રજીના વિયોગથી ખેદ પામતી હતી, તેની પાસે આવીને કહ્યું કે, આ સઘળા અનર્થનું મૂળ આ દુષ્ટ વરરૂચિ છે; અને તે વરરુચિ તારી બહેન ઉપકોશાના પ્યારમાં પડેલો છે, માટે તેણીને કહીને તેને મદિરાપાનનું વ્યસન કરાવે તો આપણા વૈરનો બદલો વળી જાય. આ ઉપરથી કોશાએ પોતાની બહેન મારફતે તેને મદિરાપાનમાં આસક્ત કર્યો. હવે એક દિવસ સભામાં નંદરાજા શકટાલ મંત્રીના ગુણોને યાદ કરવા લાગ્યો, તે વખતે વરરુચિ પણ સભામાં બેઠો હતો. પછી શ્રીયકે રાજાને વરરુચિનું સઘળું વૃત્તાંત ગુપ્ત રીતે કહીને કહ્યું કે, તે મદિરાપાન કરે છે; આથી રાજાએ વરરુચિને યુક્તિથી ઊલટી કરાવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy