________________
૨૭
જૈન ઈતિહાસ તો મદિરાપાનનું વમન થયું; તેથી રાજાએ તેનો તિરસ્કાર કરીને તેને સભામાંથી બહાર કાઢી મેલ્યો. બ્રાહ્મણોએ પણ તેને જ્ઞાતિ બહાર કર્યો, તથા ઉકાળેલું સીસું પીવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું, કે જે પીવાથી તે મૃત્યુ પામ્યો.
અહીં સ્થૂળભદ્રજી મુનિએ ચાતુર્માસ નજદીક આવવાથી ગુરુમહારાજને વિનંતી કરી કે, હે ભગવન્! જો આપની આજ્ઞા હોય તો હું કોશા વેશ્યાને ઘેર ચોમાસું રહ્યું. તે સાંભળી ગુરુમહારાજે જ્ઞાનને બળે તેમને યોગ્ય જાણી તેમ કરવાની આજ્ઞા આપી. તે વખતે બીજા પણ બે-ત્રણ મુનિઓ વનમાં સિહંની ગુફા આદિ પાસે ચોમાસું રહેવાની ગુરુમહારાજ પાસે આજ્ઞા માગી ત્યાં ગયા. સ્થૂળભદ્રજીને આવતા જોઈ કોશા વેશ્યાએ વિચાર્યું કે સુકુમાર શરીરવાળા સ્થૂળભદ્રજી મહાવ્રતોનું કષ્ટ નહીં સહેવાથી પાછા આવતા લાગે છે. પછી જ્યારે સ્થૂળભદ્રજી ઘરમાં આવ્યા ત્યારે કોશા વેશ્યાએ તેમને ઘણું સન્માન આપી કહ્યું કે, તે સ્વામી ! આ આપની દાસીને શી આજ્ઞા છે ? ત્યારે સ્થૂળભદ્રજીએ કહ્યું કે, મારે તો આ તમારી ચિત્રશાળામાં ચોમાસું રહેવું છે. તે સાંભળી વેશ્યાએ તે ચિત્રશાળા તેમને સોંપી આપી. પછી ઘણાં સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા બાદ શૃંગાર સજીને તેમની પાસે આવીને પૂર્વે ભોગવેલા ભોગોને યાદ કરાવતી ઘણા હાવભાવ તે કરવા લાગી, પરંતુ સ્થૂળભદ્રજી મહામુનિરાજનું મન તેથી જરા પણ ચલાયમાન થયું નહીં. ઊલટું તેણીને ઉપદેશ આપીને શ્રાવક ધર્મમાં દઢતા કરાવી. વર્ષાકાળ ગયા બાદ સિંહગુફા આદિ પાસે ચાતુર્માસ રહેલા સાધુઓ જ્યારે ગુરુ પાસે આવ્યા ત્યારે ગુરુએ તેમની પ્રશંસા કરી; પરંતુ જ્યારે સ્થૂળભદ્રજી આવ્યા ત્યારે ગુરુએ ઊભા થઈ તેમને ઘણું જ સન્માન આપી તેમની ઘણી જ પ્રશંસા કરી. આ બનાવથી તે સિંહની ગુફામાં વસેલા સાધુને એવી ઇર્ષ્યા થઈ કે, આ સ્થૂળભદ્રજી એક તો વેશ્યાને ઘેર ચોમાસું રહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org