________________
૨૪
જૈન ઈતિહાસ વીતી ગયાં. શ્રીયક પર રાજાની ઘણી જ પ્રીતિ થવાથી તે નંદ રાજાનો અંગરક્ષક થયો હતો. હવે તે નગરમાં એક વરરુચિ નામે મહાવિદ્વાન બ્રાહ્મણ વસતો હતો, તે હંમેશાં નવાં નવાં કાવ્યો રચીને રાજાની સ્તુતિ કરતો હતો, પરંતુ તે મિથ્યાદષ્ટિ હોવાથી જૈન ધર્મ માનનારો શકટાલ મંત્રી તેની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા તે વરરુચિને કંઈ પણ દાન આપતો નહીં; કેટલાક સમય ગયા બાદ તે બ્રાહ્મણને તે બાબતની ખબર મળવાથી તેણે શકટાલ મંત્રીની સ્ત્રીની સેવા કરવા માંડી; આથી મંત્રીની સ્ત્રી તેના પર ખુશી થઈ. ત્યારે તે બ્રાહ્મણે : તેણીને કહ્યું કે, તમો મને એવું કરી આપો કે, જેથી તમારા સ્વામી રાજા પાસે મારાં કાવ્યોની પ્રશંસા કરે, પછી શકટાલ મંત્રી જ્યારે ઘેર આવ્યા, ત્યારે તેણીએ આગ્રહપૂર્વક તે બ્રાહ્મણનાં કાવ્યોની રાજા પાસે પ્રશંસા કરવાનું કહ્યું. બીજે દિવસે તે વરસચિએ રાજા પાસે જઈ નવીન કાવ્યોથી જયારે તેમની સ્તુતિ કરી ત્યારે મંત્રીએ તેની પ્રશંસા કરવાથી રાજાએ ખુશ થઈને તે બ્રાહ્મણને એકસો આઠ સોનામહોરો આપી. એવી રીતે હંમેશાં રાજા તેને એકસો આઠ સોનામહોરો દેવા લાગ્યો. કેટલાક દિવસો ગયા બાદ મંત્રીએ રાજાને કહ્યું કે, આપ હંમેશાં તેને શા માટે સોનામહોરો આપો છો? ત્યારે રાજાએ કહ્યું કે, હું તો ફક્ત તમોએ તેના કાવ્યની પ્રશંસા કરી તે ઉપરથી તેને દ્રવ્ય આપું છું. ત્યારે મંત્રીએ કહ્યું કે, તે બ્રાહ્મણ કંઈ હંમેશાં નવાં કાવ્યો નથી રચી લાવતો; તે જે કાવ્યો કહે છે તે તો નાની છોકરીઓ પણ જાણે છે; હું તેની ખાતરી આપને આવતી કાલે કરાવી આપીશ. તે મંત્રીને સાત પુત્રીઓ હતી; તેઓ અનુક્રમે એક, બે એમ સાત વખત કોઈએ બોલેલાં કાવ્યોને યાદ રાખી શકતી હતી. બીજે દિવસે મંત્રીએ ગુપ્ત રીતે પડદાની અંદર પોતાની તે સાત પુત્રીઓને રાજસભામાં બેસાડી; હંમેશ મુજબ વરરુચિ જ્યારે પોતાનાં કાવ્યો બોલી રહ્યો, ત્યારે અનુક્રમે તે સાતે બાળાઓ પણ તે કાવ્યોને બોલી ગઈ; તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org