________________
જૈન ઈતિહાસ પૂર્ણ ન કરી શક્યા. શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી સ્થૂળભદ્રજીને પોતાની પાટે સ્થાપીને શ્રી વિરપ્રભુ પછી એકસો ને સીત્તેર વર્ષે સ્વર્ગે ગયા.
| શ્રી ઉમાસ્વાતિવાચક આ આચાર્ય ક્યારે થયા? તે માટે જો કે નક્કી સમય જણાયો નથી, પરંતુ દિગંબર પટાવલિ પ્રમાણે તે વિરપ્રભુ પછી એકસો એક વર્ષે થયા હોય તેમ જણાય છે; તેમણે તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ પ્રકરણ આદિ પાંચસો ગ્રંથો રચ્યા હતા; તથા તે મહાપ્રભાવિક હતા.
સ્થૂળભદ્રજીનું વૃત્તાંત, નંદરાજ્યનો નાશ, ચંદ્રગુપ્ત,
ચાણક્ય, શકટાલ મંત્રી આદિનું વૃત્તાંત શ્રી ભદ્રબાહુસ્વામીની પાટે ચૂળભદ્રજી આવ્યા; તેમનું વૃત્તાંત નીચે મુજબ છે : પાટલીપુત્ર નગરમાં શ્રેણિકનો પૌત્ર ઉદાયિ રાજા જયારે પુત્ર રહિત મૃત્યુ પામ્યો, ત્યારે એક નાઇના નંદ નામના પુત્રને ત્યાંની ગાદી મળી; તે રાજાનો કલ્પક નામે મંત્રી હતો; અનુક્રમે તે ગાદી પર નંદ નામના આઠ રાજાઓ થઈ ગયા; અને તેના મંત્રીઓ પણ કલ્પક મંત્રીના વંશજો જ થયા. એવી રીતે છેલ્લો નવમો નંદ રાજા જ્યારે પાટલીપુત્રમાં રાજ કરતો હતો, ત્યારે તેનો તે કલ્પક મંત્રીના વંશમાં ઉત્પન્ન થયેલો શકટાલ નામે મંત્રી હતો; તે મંત્રી જૈન ધર્મ પાળતો હતો; તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. તે સ્ત્રીથી તેને સ્થૂળભદ્ર તથા શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં એક મહાસ્વરૂપવાળી ખુબસુરત કોશા નામની વેશ્યા રહેતી હતી, તેણીની સાથે સ્થૂળભદ્ર પ્યારમાં પડ્યો હતો; તેથી તે તેણીને ઘેર જ રહી ઘણા પ્રકારના ભોગ ભોગવતો હતો. એવી રીતે ભોગ ભોગવતાં બાર વર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org