________________
જૈન ઈતિહાસ
૧૩ પડવાં લાગ્યાં, ત્યારે પ્રભુએ પણ પોતાનો નિયમ સંપૂર્ણ થયેલો જાણી તે બાકળા તેણીની પાસેથી ગ્રહણ કર્યા. આ ચંદનબાળા પ્રભુના પરિવારમાં પહેલી સાધ્વી થયેલી છે. એવી રીતે ભગવાને સાડા બાર વર્ષ સુધી જુદા જુદા પ્રકારનું તપ કરી ચાર હજાર એકસોને પાંસઠ દિવસના ઉપવાસ કર્યા, અને ત્રણસો ઓગણપચાસ દિવસ ફક્ત આહાર કર્યો. એવી રીતે બાર વર્ષો સુધી તપ કર્યા બાદ તેરમે વર્ષે વૈશાખ સુદ દશમને દિવસે પ્રભુ જાંભિક ગામ પાસે આવ્યા, તથા ઋજુવાલીકા નામની નદીને કિનારે શ્યામાક નામના ખેડુના ખેતરમાં ધ્યાન કરતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે જ્ઞાનરૂપી ચક્ષુથી ત્રણે લોકના સર્વ ભાવોને તે જાણવા લાગ્યા, તથા લોકોને દયામય એવા સત્ય જૈન ધર્મનો ઉપદેશ દેવા લાગ્યા. પછી વિહાર કરીને તે મહાવીર પ્રભુ મધ્યમ પાવાપુરી નામની નગરીમાં આવ્યા. ત્યાંના સોમિલ નામના એક બ્રાહ્મણે ત્યાં એક મોટો યજ્ઞ આરંભ્યો હતો, તે પ્રસંગે દેશવિદેશથી ઘણા બ્રાહ્મણો ત્યાં એકઠા થયા હતા. તેઓમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મ, પંડિત, મૌર્ય પુત્ર, અંકપિત, અચળભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામે અગિયાર બ્રાહ્મણો વેદોને સર્વ અર્થોને જાણનારા મહા પંડિત હતા. તેઓના મનમાં એવું તો અભિમાન હતું કે, અમો સર્વજ્ઞ છીએ, અમારા સરખા આ દુનિયામાં કોઈપણ વિદ્વાન નથી, એમ સર્વજ્ઞપણાનું અભિમાન લાવી તેઓ સર્વે યજ્ઞ સંબંધી કાર્ય કરતા હતા, તેઓના દરેકના મનમાં વેદોના કેટલાંક પદોના અર્થ માટે સંશય હતો, પરંતુ પોતાના સર્વલપણાના અભિમાન માટે તેઓ તે સંશય પરસ્પર કોઈને પૂછતા નહીં. એવામાં તેઓએ ત્યાં મહાવીર પ્રભુનું આગમન થયેલું સાંભળ્યું, તથા લોકોના મુખથી એવું પણ સાંભળ્યું કે, આ મહાવીર પ્રભુ ખરેખરા સર્વજ્ઞ છે, કેમ કે તે સર્વ લોકોના મનની વાત પણ સંદેહ રહિત કહી આપે છે. આથી તેઓમાંના મોટા ઇંદ્રભૂતિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org