________________
જૈન ઈતિહાસ
૧૨
પરંતુ ઉપરના નિયમ મુજબ ભિક્ષા નહીં મળવાથી તેટલા દિવસોના તેમને ઉપવાસ થયા. હવે તે કોશાંબી નગરીના સાનિક નામના રાજાએ દધિવાહન રાજાની ચંપા નામની નગરી ૫૨ હલ્લો કર્યો, ત્યારે દધિવાહન રાજાની હાર થવાથી ત્યાંથી નાસી ગયો, પરંતુ તેની ચંદના નામની પુત્રીને સતાનિક રાજાના એક સુભટે પકડી લીધી, તથા તેણીને કોશાંબીમાં લાવીને એક વેશ્યાને ત્યાં વેચી. તે વેશ્યા પાસેથી ધનાવહ નામના એક જૈનધર્મી શાહુકારે તેણીને ખરીદ કરી, તથા પોતાની પુત્રી તરીકે રાખી. પરંતુ તે શેઠની સ્ત્રીને એવી શંકા થઈ કે, રખેને શેઠ આ ચંદનાનો સ્રી તરીકે સ્વીકાર કરીને મારો તિરસ્કાર કરશે, એમ વિચારી શેઠ જ્યારે કોઈક કારણસર બહારગામ ગયા હતા ત્યારે તે દુષ્ટ સ્રીએ બિચારી ચંદનાનું મસ્તક મુંડાવી, પગમાં બેડી પહેરાવીને તેણીને એક ઓરડામાં પૂરી મૂકી. ચોથે દિવસે શેઠ જ્યારે બહારગામથી ઘેર આવ્યા, ત્યારે ચંદનાને ઘરમાં ન જોવાથી તેણે તેણીની તપાસ કરી, તો છેવટે પાડોશી તરફથી ઉપલી હકીકત માલૂમ પડી. ત્યારે શેઠે તે ઓરડાનું તાળું ખોલીને ત્રણ દિવસની ભૂખી ચંદનાને બહાર કાઢી, તથા તેને ખાવા માટે એક સુપડામાં ઘોડા માટે રાંધેલા અડદના બાકુળા આપીને પછી પોતે બેડીઓ તોડવા માટે લુહારને બોલાવવા ગયો, એટલામાં મહાવીર પ્રભુ પણ ભિક્ષા માટે ભમતા થકા ત્યાં આવી લાગ્યા. પ્રભુને જોઈને ચંદનાએ પણ ભાવથી તે બાકુળા લેવા માટે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ વિચાર્યું કે મારો નિયમ તો સંપૂર્ણ થયેલો જણાય છે, પરંતુ તેમાં એક બાબત હજુ અધૂરી છે, તે એ કે, તેણીની આંખોમાંથી હજી આંસુ પડતાં નથી, એમ વિચારી પ્રભુ તો તે બાકુળા લીધા વિના જ ત્યાંથી પાછા ફરવા લાગ્યા, તે જોઈ ચંદનબાળાએ વિચાર્યું કે, અહો ! હું કેવી નિર્ભ્રાગિણી છું કે, પ્રભુ પણ મારા હાથનું અન્નદાન લેતા નથી, એમ વિચાર કરતાં તેણીની આંખોમાંથી અશ્રુ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org