________________
જૈન ઈતિહાસ
ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનો સમય તથા તેમનો સંપૂર્ણ ટુંકામાં ઇતિહાસ. ચંદનબાળા
તથા અગ્યાર ગણધરોનું વૃત્તાંત શ્રી પાર્શ્વપ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષે મગધ દેશમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના ગામમાં સિદ્ધાર્થ નામના રાજાની ત્રિશલા નામે રાણીની કુક્ષિએ જૈનોના ચોવીસમા તીર્થકર શ્રી વર્ધમાન પ્રભુનો (મહાવીર સ્વામીનો) જન્મ થયો હતો. તેમને નંદિવર્ધન નામે એક ભાઈ હતા. શ્રી મહાવીર પ્રભુએ કેટલોક સમય ગૃહસ્થપણામાં રહીને અંતે આ સંસારને અસાર જાણીને દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા બાદ પૂર્વે બાંધેલાં કર્મોને લીધે, તેમને ઘણા ઉપસર્ગો છબસ્થપણામાં સહન કરવા પડ્યા. છબસ્થપણામાં વિહાર કરતી વેળાએ શરવણ ગામનો રહેવાસી ગોશાલો નામનો એક પુરુષ ભગવાનને મળ્યો તથા ભગવાનની સાથે ફરવા લાગ્યો. પરંતુ તે બહુ અટકચાળો અને નીચ સ્વભાવનો હોવાથી લોકો તેને ધિક્કારવા લાગ્યા અને કેટલીક જગ્યાએ તો તેને તેના તેવા સ્વભાવથી લોકો તરફથી માર પણ પડ્યો હતો. મહાવીર પ્રભુ છદ્મસ્થપણામાં જયારે વિચરતા હતા, ત્યારે તે તરફના લોકોમાંના કેટલાક ઘણા અજ્ઞાન હોવાથી તેમને દુઃખ ઉપજાવતા હતા, પરંતુ પ્રભુ તો રાગદ્વેષ રહિત હોવાથી શાંત મનથી તે સઘળું સહન કરતા હતા, તથા ઘણા પ્રકારની ઉગ્ર તપસ્યા કરતા હતા. એક સમયે તેમણે એવો નિયમ કર્યો કે, કોઈ રાજકુમારી કે જે કેદી તરીકે પકડાયેલી હોય, દાસપણું પામી હોય, જેણીનું માથું મુંડેલું
હોય, પગમાં બેડી હોય, અઠ્ઠમનો તપ જેણીએ કર્યો હોય, જેણીની • ' આંખોમાંથી આંસુઓ પડતાં હોય, તેવી રાજકુમારી સુપડાના
ખૂણામાં રહેલા અડદના બાકળા જો ભાવથી આપે, તો જ મારે લેવા; એવી રીતની ભિક્ષા માગતાં લગભગ પોણા છ મહિના વીતી ગયા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org