SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈન ઈતિહાસ કેવળજ્ઞાન પામી લોકોને જૈન ધર્મનો દયામય ઉપદેશ દેવા માંડ્યો, તેમણે આપેલા ધર્મના ઉપદેશથી લોકો પર એટલી તો સારી અસર થઈ કે, આજે પણ તેમનું નામ ઘણા ખરા અન્ય દર્શનીઓમાં પણ પ્રસિદ્ધ છે, કેમ કે તે અન્ય દર્શનીઓ પણ આજે જ્યારે જૈનોના કોઈ પણ તીર્થકરની મૂર્તિ નજરે જુએ છે, ત્યારે કહે છે કે, આ તો પારસનાથની મૂર્તિ છે. વળી, બિહારમાં આવેલો જૈનોના પ્રસિદ્ધ તીર્થરૂપ સમેતશિખરનો પર્વત પણ આજે પારસનાથના ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. આ શ્રી પાર્શ્વનાથજીના મોટા ગણધર શ્રી શુભદત્તજી હતા, તેમના શિષ્ય હરિદત્તજી થયા, તેમના શિષ્ય આર્યસમુદ્ર થયા, તથા તેમના શિષ્ય સ્વયંપ્રભસૂરિ થયા, તેઓના કેટલાક શિષ્યોમાં પિહિતાશ્રવ નામે એક શિષ્ય હતો, અને તેનો બુદ્ધકીર્તિ (ગૌતમ બુદ્ધ) નામે એક શિષ્ય હતો. તે સરયૂ નદીને કિનારે આવેલાં પલાસ નામના ગામમાં રહેતો હતો, એક સમયે તે સરયૂ નદીમાં જબરું પૂર આવ્યું, તેથી કેટલાંક મરેલાં માછલાં તે નદીને કિનારે આવી પડ્યાં, તે જોઈ બુદ્ધકીર્તિએ વિચાર્યું કે, જે જીવો પોતાની મેળે જ સ્વભાવિક રીતે મરી જાય છે, તેઓનું માંસ ભક્ષણ કરવામાં કશો દોષ નથી, એમ વિચારી તેણે તે મત્સ્યોનું ભક્ષણ કર્યું, અને લોકોને તેણે કહ્યું કે માંસમાં કંઈ જીવ નથી, માટે તે ભક્ષણ કરવામાં કંઈ દોષ નથી, માટે જેમ દુધ, દહીં, ફળ વગેરેનું ભક્ષણ કરાય છે, તેમ જ માંસભક્ષણ પણ કરવું, અને જેમ પાણી પીએ છીએ, તેમ મદિરાપાન કરવામાં પણ કંઈ દોષ નથી; એવો ઉપદેશ આપી એણે પોતાનો બૌદ્ધમત ચલાવ્યો, પાછળથી તે ધર્મ પાળવામાં ઘણું દુઃખ ન હોવાથી તેનો ઘણો ફેલાવો થયો. આજે પણ ઉકેશગચ્છનો જે પરિવાર ચાલ્યો આવે છે, તે શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy