________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પ્રેમ-ભુવનભાનુ સદ્ગુરુભ્યો નમઃ |
જેન ઇતિહાસ
પ્રકરણ - ૧
પ્રાચીન સમયનો ઇતિહાસ આ જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, માટે તે ક્યારથી ચાલુ થયો હશે? એવી શંકા કરવાની કંઈ પણ જરૂર નથી. હવે તેના અનાદિ કાળમાં અનંતી ચોવીશીઓ થઈ ગઈ છે, અને પ્રત્યેક ચોવીશીના સમયમાં જૈન ધર્મનો બહોળો ફેલાવો પણ થયા કર્યો છે. ચોવીશીઓ એટલે જૈન ધર્મનો ફેલાવો કરનારા ચોવીશ તીર્થકરો જે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થાય છે તે માંહેની આ છેલ્લી અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ નામે પહેલા તીર્થંકર થયા છે.
શ્રી ઋષભદેવ : આ છેલ્લી અવસર્પિણીના ત્રીજા આરાને છેડે નાભિરાજા નામના સાતમા કુલકર થયા, તેમનું રાજય અયોધ્યામાં હતું, તેમને મરૂદેવા નામે સ્ત્રી હતી. તેમની કુક્ષીએ આ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીનો જન્મ થયો હતો. તે વખતના યુગલીયાં મનુષ્યો ફક્ત કલ્પવૃક્ષોનાં ફળ-ફૂલો ખાઈ આજીવિકા ચલાવતાં હતાં, તથા કેટલાંક સંસારી રીત રીવાજોથી તથા નીતિથી અજાણ્યાં હતાં, તેમને ઋષભદેવજીએ સર્વ સાંસારિક રીતીઓથી વાકેફ કર્યા. ઋષભદેવજીને ભરત તથા બાહુબલિ આદિ એકસો પુત્ર હતા, તથા તેઓ સઘળા જૈન ધર્મમાં ઘણા જ ચુસ્ત હતા, ઘણો સમય ગયા બાદ ઋષભદેવજીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી તથા લોકોને જૈન ધર્મ સંબંધી શુદ્ધ દયામય ઉપદેશ દેવા લાગ્યા, તે સમયના લોકો કપટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org