________________
૧૫૨
જૈન ઈતિહાસ વાત યાદ આવવાથી તેમણે લાડ જાતિના સઘળા વણિકોને માર મારી નગરની બહાર કાઢી મેલ્યા; અને ફક્ત દયા લાવી તેઓને જીવતા મેલ્યા. આ કુમારપાળ રાજાને જૈન ધર્મ પાળતો જોઈને બ્રાહ્મણોને ઇર્ષા થઈ, આથી તેમણે પોતાના મંત્રતંત્રવાદી એવા દેવબોધ નામના આચાર્યને બોલાવ્યા. તેની સાથે હેમચંદ્રસૂરિજીને ઘણા પ્રકારના વાદવિવાદો થયા, પરંતુ છેવટે સર્વ વાદોમાં હેમચંદ્રસૂરિજીએ તેને હરાવવાથી તે ઝાંખો પડીને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ કુમારપાળ રાજાનું જૈન ધર્મમાં દઢ ચિત્ત થવાથી તેમણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા. એક સમયે કુમારપાળ રાજા જ્યારે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, ત્યારે તેમને પગે એક મંકોડો આવીને ચોટ્યો. કાઉસગ્ગ પારીને તેમણે તે મંકોડાને ઉખેડવા માંડ્યો, પરંતુ તે ઉખડ્યો નહીં. ત્યારે તે દયાળુ રાજાએ તે જગાએથી પોતાનું તેટલું માંસ છેદાવીને તે મંકોડાને દૂર કર્યો. કુમારપાળ રાજાએ માળવાના રાજા અર્ણોરાજને પણ પોતાનો મિત્ર કરી તેને પ્રતિબોધીને જૈન ધર્મી કર્યો. આ કુમારપાળ રાજાના સમયમાં તેમના મંત્રી બાહડે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો, તથા હેમચંદ્રસૂરિજી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. વળી તે મંત્રીના બીજા ભાઈ અંબડે ભરૂચમાં શમલિકાવિહાર નામના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તથા તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામિજીની પ્રતિમાની હેમચંદ્રસુરિજીએ પ્રતિષ્ઠા કરી. કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિજી મહારાજના ઉપદેશથી સર્વ મળી ચૌદ હજાર નવાં જિનમંદિરો બંધાવ્યાં, તથા સોળ હજાર જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો. તારંગાજી પર ઘણું જ ઊંચું વિસ્તારવાળું જૈનમંદિર બંધાવી તેમાં શ્રી અજિતનાથજીની મૂર્તિની સ્થાપના કરી; તથા હેમચંદ્રાચાર્યજીના ચરણોની પણ તેમણે સ્થાપના કરી. ઘણા નિર્ધન શ્રાવકને તેણે દૂધ આપી સ્વામિવાત્સલ્પ કર્યો. એવી રીતે અનેક પ્રકારનાં ધર્મકાર્યો કુમારપાળ રાજાએ હેમચંદ્રસૂરિજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org