________________
જૈન ઈતિહાસ
૧૫૧ નામનું જિનાલય બંધાવ્યું. આટલું છતાં પણ દેવયોગે ખરા ઉપકારી હેમચંદ્રાચાર્યજીને તે વિસરી ગયા. એક સમયે હેમચંદ્રસૂરિજીએ ઉદયન મંત્રીને બોલાવીને કહ્યું કે, આજે કુમારપાળ રાજાની નવી રાણીના મહેલમાં મધ્યરાત્રિએ પ્રાણઘાતક ઉપસર્ગ થવાનો છે, માટે આજે રાજાને ત્યાં જતા અટકાવજો. અને આ બાબતની રાજા જો વધારે પૂછપરછ કરે તો અમારું નામ જણાવજો. ઉદયન મંત્રીએ પણ રાજાને રાત્રિએ ત્યાં જતા અટકાવ્યા, અને તે જ રાત્રિએ ત્યાં વીજળી પડવાથી તે રાણીનું મૃત્યુ થયું. તે જ વખતે રાજાએ ઉદયનને બોલાવી પૂછ્યું કે, હે મંત્રી ! આવો ભવિષ્યજ્ઞાની માણસ તમને કોણ મળ્યો? કે જેણે મને આજે જીવિતદાન આપ્યું. ત્યારે મંત્રીએ કહ્યું કે, તે રાજન્ ! અહીં શ્રી હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે, અને તેમણે આ વાત મને જણાવ્યાથી મેં આપને ત્યાં જતા અટકાવ્યા છે. તે સાંભળી રાજાએ બહુ ખુશ થઈ આચાર્યજીને રાજસભામાં બોલાવ્યા. હેમચંદ્રસૂરિજી પણ તુરત ત્યાં ગયા, ત્યારે રાજાએ ઊભા થઈ તેમને વંદન કર્યું, તથા હાથ જોડી આંખોમાં અશ્રુઓ લાવી કુમારપાળે કહ્યું કે, હે ભગવન્! આપને મુખ દેખાડતાં પણ મને લજ્જા થાય છે, કેમ કે આજ દિન સુધી મેં આપને સંભાર્યા પણ નહીં; આપના ઉપકારનો બદલો મારાથી કોઈ પણ રીતે વળી શકે તેમ નથી. વળી હે પ્રભો !
આપે પ્રથમથી જ મારા પર નિ:કારણ ઉપકાર કર્યો છે, અને આપનું . તે કરજ હું ક્યારે અદા કરીશ? ત્યારે આચાર્યજીએ કહ્યું કે, હે - રાજન્ ! હવે તમે દિલગિર ન થાઓ. તમને ઉત્તમ પુરુષ જાણીને જ
મેં ઉપકાર કર્યો છે હવે તમારા ઉપકારના બદલામાં તમે ફક્ત જૈન ધર્મ આરાધો, એટલી જ અમારી આશિષ છે. ત્યારે કુમારપાળે કહ્યું કે, હે ભગવન્! આપની તે આશિષ તો મને હિતકારી છે; એમ કહી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. એવે વખતે કુમારપાળ રાજાના રાજ્યમાં સર્વ પ્રજા દયાધર્મ પાળવા લાગી. કુમારપાળ રાજાને પેલી જાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org