________________
પ્રકરણ - ૨૦
(કુમારપાળને મળેલી રાજગાદી, કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય, કુમારપાળે પ્રતિબોધ પામી જૈન ધર્મ
' અંગીકાર કરી કરેલાં ધાર્મિક કાર્યો) .
કુમારપાળને મળેલી રાજગાદી સિદ્ધરાજે પોતાના મરણ સમયે પોતાના મંત્રીને બોલાવી કહ્યું હતું કે, જો તમોએ મારું નમક ખાધું હોય તો તમારે કુમારપાળને રાજગાદી આપવી નહીં, પરંતુ મંત્રીઓએ પાછળથી વિચાર કરીને કુમારપાળને જ રાજગાદી યોગ્ય જાણીને તેને જ ગાદી આપી. તે વખતે કેટલાક ઘરડા પ્રધાનોને તે વાત પસંદ પડી નહીં, તેથી તેઓ કુમારપાળને મારી નાખવાના ઉપાયો શોધવા લાગ્યા; આ વાતની કુમારપાળને જાણ થવાથી તરત તેણે તે પ્રધાનોને મારી નખાવ્યા; અને તેના તે ઉપાયથી અનુક્રમે સઘળા કારભારીઓ ડરીને કુમારપાળની આજ્ઞા મુજબ ચાલવા લાગ્યા.
કુમારપાળ રાજા અને હેમચંદ્રાચાર્ય ત્યારબાદ કુમારપાળે પોતાના ઉપકારી ઉદયન મંત્રીને બોલાવી તેના પુત્ર બાહડને મહામંત્રીની પદવી આપી. તથા પોતાના સંકટ સમયે જેણે જેણે પોતાના પર ઉપકાર કર્યો હતો, તે સર્વને બોલાવી તેઓને ગામ ગરાસ વગેરે આપી સંતુષ્ટ કર્યા. જે જગાએ સોનામહોરોવાળો ઉંદર મરણ પામ્યો હતો, ત્યાં તેણે ઉંદરવિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org