________________
જૈન ઈતિહાસ
૧૫૩ મહારાજના ઉપદેશથી કર્યા. હવે તે કુમારપાળ રાજાનો અજયપાળ નામે એક ભત્રીજો હતો, તેણે વિચાર્યું કે, કુમારપાળને પુત્ર નથી, માટે તે આ રાજગાદી પોતાની પુત્રીના પુત્ર પ્રતાપમલ્લને દેશે, અને મને આપશે નહીં, માટે જો હું કુમારપાળને મારી નાખું તો મને રાજગાદી મળે; એવો વિચાર તે હંમેશાં કરતો હતો. આ બાજુ હેમચંદ્રસૂરિજીનો એક બાળચંદ્ર નામે શિષ્ય હતો, તેને તે અજયપાળ સાથે મિત્રાઈ હતી; તેથી તે એમ વિચારતો કે જો અજયપાળને ગાદી મળે, તો હું પણ માન પામું. એવામાં કુમારપાળે હેમચંદ્રસૂરિજીને વિનંતી કરી કે, હે ભગવન્! આજ દિન સુધી મેં મારી શક્તિ મુજબ પુણ્યનાં કાર્યો કર્યા, પરંતુ જિનપ્રતિમાઓની એક અંજનશલાકા કરવાની મને ઘણી હોંશ છે. ત્યારે આચાર્યજીએ પણ તે માટે અનુમોદન આપ્યું, તેથી રાજાએ સુવર્ણ આદિ ધાતુઓની પ્રતિમાઓ બનાવીને અંજનશલાકા માટે તૈયારી કરી, તથા તે માટેનો મહોત્સવ શરૂ થયો. દૈવયોગે મુહૂર્તના સમયની ખબર રાખવાનું કાર્ય આચાર્યજીએ બાળચંદ્રને સોંપ્યું. તે વખતે ત્યાં અજયપાળ પણ આવી ચડ્યો. તેને બાળચંદ્રે કહ્યું કે, જો આ સમયે હું મુહૂર્તના વખતમાં ફેરફાર કરી નાખું તો હેમચંદ્રસૂરિજીનું તથા રાજાનું થોડા સમયમાં જ મૃત્યુ થશે. તે સાંભળી તે દુખ અજયપાળે પણ તેમ કરવાનું બાળચંદ્રને સમજાવ્યું, અને કહ્યું કે, જો મને રાજય મળશે, તો હું પણ તમને આચાર્યની પેઠે ઊંચે દરજ્જુ ચડાવીશ. પછી તે દુષ્ટ શિષ્ય તે મુહૂર્તના સમયમાં ફેરફાર કરી નાખ્યો. છેવટે હેમચંદ્રસૂરિજીને તે
બાબતની ખબર પડવાથી તેને કુમારપાળને કહ્યું કે, આ બાળચંદ્ર - કુશિષ્ય નીવડ્યો છે, અને તે અજયપાળને મળેલો છે; તેથી તેણે
મુહૂર્તમાં ફેરફાર કરી અનર્થ કર્યો છે. હવે આપણાં બંનેનું મૃત્યુ નજદીક છે. એવામાં હવે ત્યાં એક યોગી આવી ચડ્યો, તેણે આચાર્યજીના મસ્તકમાં મણિ જોયો, તેથી તે લેવાની તેણે તરકીબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org