SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઈતિહાસ ૧૪૭ બેસી રહ્યા, તથા તેમના પુણ્યબળથી તેમને જરા પણ ઈજા ન થઈ. છેવટે તે માણસો નિરાશ થઈ ત્યાંથી પાછા ચાલ્યા ગયા. ત્યારબાદ કુમારપાળ તે ખેડૂતને પ્રત્યુપકાર કરવાનો કોલ આપી ત્યાંથી પરદેશ પ્રત્યે ચાલતા થયા. આગળ ચાલતાં વનમાં તેમણે એક ઉંદરને પોતાના દરમાંથી સોનામહોરો લાવતો જોયો. એવી રીતે અનુક્રમે એકવીસ સોનામહોરો બહાર લાવીને તે ઉંદર ત્યાં અત્યંત હર્ષથી નાચવા લાગ્યો; ત્યારે કુમારપાળે તે સઘળી સોનામહોરો લઈ લીધી. પછી જ્યારે તે ઉંદર બહાર આવ્યો, અને પોતાની સોનામહોરો તેણે ન જોઈ ત્યારે તે ત્યાં પોતાનું મસ્તક પછાડીને મૃત્યુ પામ્યો. તે જોઈ કુમારપાળને મનમાં ખેદ થયો કે, અરે ! મેં પાપીએ આ ઉંદરના પ્રાણ લીધા. ત્યાંથી કુમારપાળ તો આગળ ચાલ્યા, ત્યાં તેમને ત્રણ દિવસ સુધી કંઈ પણ ભોજન મળ્યું નહીં. એવામાં કોઈક શાહુકારની સ્ત્રી તેમને વનમાં મળી; તેણીએ કુમારપાળને ઉત્તમ પુરુષ જાણીને ભોજન કરાવ્યું, ત્યારે કુમારપાળે ખુશી થઈને તેણીને કહ્યું કે, જ્યારે મને રાજ્ય મળશે, ત્યારે હું તમારે હાથે તિલક કરાવીશ. ત્યાંથી નીકળી કુમારપાળ દહીંથળી ગામમાં આવ્યા, તે વખતે સિદ્ધરાજના માણસો પણ તેમને શોધતાં શોધતાં ત્યાં આવી ચડ્યા; પરંતુ ત્યાં સાધન નામના કુંભારે તેમને પોતાના ઇંટોના નિભાડામાં છુપાવવાથી તે બચી ગયા. ત્યાંથી નીકળી કુમારપાળ ખંભાત પાસે આવ્યા; તે વખતે તેમને શુભ શુકન થયાં. એવામાં હેમચંદ્રસૂરિજી મહારાજ પણ દેહચિંતા માટે શહેર બહાર આવ્યા હતા, તેમણે કુમારપાળને ઓળખ્યા. કુમારપાળે પણ આચાર્યજીને ઓળખીને કહ્યું કે, હે ભગવન્ ! મેં ઘણું કષ્ટ સહન કર્યું, હવે મારાં તે કષ્ટનો ક્યારે અંત આવશે ? ત્યારે આચાર્યજીએ નિમિત્ત જોઈને કહ્યું કે, હવે તમને થોડી મુદતમાં જ રાજ્ય મળશે. એવામાં ત્યાં ઉદયન મંત્રી આવી ચડ્યા, તેને આચાર્યજીએ કહ્યું કે, આ રાજકુમારનું તમારે રક્ષણ કરવું, કેમ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005666
Book TitleJain Itihas
Original Sutra AuthorN/A
AuthorHemratnasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy