________________
[ ૬૨ ]
ધ્યાનદીપિકા
અનેક સંપ્રદાયમાં અનાદિ કે અનિર્વચનીય ઈત્યાદિ શબ્દ વપરાતા નજરે પડે છે એમ સમજાય છે.
અનાદિ અશુદ્ધતા જણાવવા માટે શાસ્ત્રમાં સોના અને માટીનું દષ્ટાંત આપેલું છે કે સેનાની સાથે માટી–મેલ હોય છે. ખાણમાંથી નીકળતું સોનું રેતી માટી કે પથ્થર સાથે મળેલું જ હોય છે. આ સોનું માટી કે પથ્થર સાથે ક્યારે મળ્યું અથવા તલમાં તેલ ક્યારે મળ્યું તે સમજી શકતું નથી. છતાં અમુક જાતને સાંયોગિક જાતના પદાર્થો દ્વારા સોનું અને માટી તેલ અને ખેળ તદ્દન અલગ થઈ શકે છે. આ દૃષ્ટતે આત્મા કર્મ સાથે કયારે બંધનમાં આવે તે સમજાતું નથી છતાં તે સમ્યફજ્ઞાનાદિ નિમિત્તોથી કર્મથી સર્વથા જુદે થઈ શકે છે.
ખાણમાં રહેલ સોનું અને તે સાથે રહેલ મેલની માફક આત્માની સાથે અશુદ્ધતાને અનાદિ સંબંધ છે. આ અશુદ્ધ સંબંધથી આત્મા પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલી ઉદય આવેલ કમ પર્યાયમાં ઈષ્ટ-અનિષ્ટ ભાવથી રાગદ્વેષાદિ ભાવે પરિણમે છે. આ પરિણામેનું કારણ દ્રવ્ય કર્મ છે તે પણ પરિણામ એ ચિતન્યમય આત્માની સાથે વ્યાખ્યવ્યાપક સંબંધે રહેલ હવાથી (રાગાદિભાવ આત્માના કરવાથી થાય છે માટે તે વ્યાપ્ય છે અને તેને કર્તા આત્મા તે વ્યાપક છે માટે) અપેક્ષાએ આત્મા જ કર્તા-ભોક્તા છે.
જ્યારે આ આત્મા સ્વ-પરભેદ વિજ્ઞાન દ્વારા શરીરાદિ પરદ્રવ્યથી પિતાને પૃથક્ માને છે ત્યારે તે પુદ્ગલ દ્રવ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org