________________
ધ્યાનદીપિકા
[ ૬૧ ]
ઉઘાડા રહે છે. મતલબ કે તેના ઉપર આવરણ આવતું નથી. તે આવરાઈ જાય તો ચૈતન્ય જડની સ્થિતિને પામી જાય જુઓ કે એવું કઈ વખત બન્યું નથી અને બને પણ નહિ.
આત્મા કર્મના પરમાણુ વડે દોષિત કરાયેલ છે. આને અર્થ એ નથી થઈ શકતો કે પહેલાં આત્મા નિર્મળ હતો અને પછી કર્મના અણુએ તેને મલિન કર્યો વ્યવહારની અપેક્ષાએ તેમ માનવામાં આવે છે કે અમુક વખતે અમુક મનુષ્ય આવું કર્મ બાંધ્યું અને તેના ફળ તરીકે આ દશા ભગવે છે વિગેરે પણ મૂળ સ્થિતિ કેવી હતી? શું શુદ્ધ જ હતી અને પછીથી કર્મ શરૂ થયા? આને ખુલાસો શાસ્ત્રો તરફથી આજ મળે છે કે અનાદિ કાળથી તેમ જ ચાલ્યો આવે છે અને નિમિત્તોથી શુદ્ધ અને અશુદ્ધ થયા જ કરે છે. એક વાર સર્વથા શુદ્ધ થઈ જાય તે પછી ફરી અશુદ્ધ થવાની તેનામાં ગ્યતા ચાલી જાય છે. શેકેલા કે રાંધેલા અનાજમાં જેમ ફરી અંકુર ઉત્પન્ન થવાની યોગ્યતા રહેતી નથી તેમ ફરી બંધન પામવાની યોગ્યતા તેમાં રહેતી નથી. છેડે થોડે શુદ્ધ થતો ચાલે છે. તેમાં અશુદ્ધતા નિમિત્તોથી આવી પડે છે પણ સર્વથા રાગદ્વેષ વિગેરે કષા
ને ક્ષય કરી શુદ્ધ થયેલામાં ફરી અશુદ્ધિ આવતી નથી. આત્મા ક્યારે અશુદ્ધ થયું તેનું મૂળ કઈ પણ જ્ઞાનીઓ બતાવતા નથી. તેઓ પોતાના જ્ઞાનમાં અનાદિ જણાવે છે. અથવા તેમના જ્ઞાનમાં કાંઈ સમજવામાં આવતું હોય અને શબ્દો દ્વારા અનુભવની વાત વિના અનુભવ વાળાને સમજાવી ન શકાતી હોય તે તે જ્ઞાનીઓ જાણે. પણ એકંદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org